આજકાલ આપણે તીર્થયાત્રાએ કેવી રીતે જઈએ છીએ ?
- રિટર્ન ટિકિટ,
- ઝટપટ દર્શન,
- સ્વાદિષ્ટ ખાવાનું,
- ઝટપટ પાછા, અને
- ઝટપટ કામધંધામાં પાછા જોડાઈ જવાનું. ?
🤷🏼♂️શું ઋષિઓએ આવી તીર્થયાત્રાએ જવાનું કહેલું કે જેનાથી પુણ્ય મળે ?
ઉપરોકત પ્રશ્ન તીર્થયાત્રા વિશે થયેલી એક ચર્ચા માં પુછાયો હતો. એની માટે,
(તીર્થયાત્રા વિશે) મેં મારી સમજ નીચે પ્રમાણે રજુ કરી હતી.
તીર્થયાત્રા વિશે મારી સમજ
~~~~~~~~~~~~~~~~
તીર્થ શબ્દ નો અર્થ છે, 'પવિત્ર સ્થાન!'
અને યાત્રા એટલે પ્રવાસ
Dictionary meaning આ પ્રમાણે છે.👇
तीर्थयात्रा:
धार्मिक उद्देश्य या भक्ति से पवित्र स्थान पर दर्शन,पूजा आदि के लिए जाने की क्रिया
तीर्थ स्थानों के दर्शनार्थ की जानेवाली यात्रा।
ઉપર આપેલ meaning પ્રમાણે,
જોઈએ તો ,
તીર્થયાત્રા પર જવું એટલે,
જે પવિત્ર સ્થળો છે, ત્યાં
ભક્તિ, પૂજા, દેવ દર્શન માટે જવું.
Generally લોકો, પાછલી ઉંમરમાં, retired age માં તીર્થયાત્રા પર જાય છે.
શામાટે?
કદાચ એટલા માટે કે,
આ age સુધી જીવન ને આપણે પુરી રીતે જીવી લીધું હોય છે. સુખ-દુઃખ ને ઝીરવી લીધું હોય છે.
જીવન ની જવાબદારીઓ, ઘણે અંશે પુરી થઈ ગયી હોય છે...લગભગ ત્યારે, પોતાની મુક્તિ ની પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિ નો અનુભવ કરવા લોકો તીર્થયાત્રા પર જવાનું નક્કી કરે છે.
મતલબ,
તીર્થયાત્રા પર જવું એટલે આનંદ લેવા નહીં, પણ,
- આત્મા નું સુખ પામવા માટે જવું. - - - મોક્ષ ની અનુભૂતિ કરવા જવું.
- કુદરત ના સાનિધ્ય માં જવું.
- ઈશ્વર ની નજદીક જવું."
તીર્થયાત્રા પર જવા માટે શું શું તૈયારી કરવી ને ધ્યાન રાખવું?
1.લાંબી તીર્થયાત્રા માટે શારીરિક ક્ષમતા અને યોગ્યતા (physical fitness) હોવી પણ જરૂરી છે, માટે સમયસર (at right age) planning કરવું.
2. સામાન - ઓછો રાખવો...એટલે કે સુખ સગવડ ઓછી કરવી... મોહ ઓછો કરવો.
3. સંસાર ની માયા છોડવી. એટલે કે ઘર ની, સામાજિક, બિન જરૂરી ચિંતા ઓ છોડી દેવી.
4. સંયમ રાખવો - ખાવા પીવા માં, મોજ શોખમાં સંયમ કરવો.
5. ભક્તિ ને સાથે બાંધવી.
6. દાન - પુણ્ય કમાવવું.
તેની માટે આપણી જમાપૂંજી ની ગાંઠ છોડવી.
7. પ્રવાસ દરમિયાન શારીરિક કાળજી રાખવી પણ અત્યંત જરૂરી છે.. પોતાની ચાલી રહેલી Regular દવાઓ સમયસર લેવી. પ્રવાસ માં થતી નાની- મોટી બીમારીઓ માટે ની દવાઓ ડૉક્ટર ની સલાહ મુજબ સાથે લયી જવી.
આ બધી માનસિક અને શારીરિક તૈયારી સાથે તિર્થયાત્રા પર નીકળી એ ત્યારે, તીર્થયાત્રા નું સાચું ફળ આપણે પામી શકીએ.
ઇશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવા જ્યારે યાત્રા કરીએ ત્યારે, એ ના ભૂલવું કે ઈશ્વર ફક્ત મંદિર માં નથી વસતો,
ઈશ્વર, દરેક મનુષ્ય, જીવ, પ્રાણી, નદી, પર્વત, કુદરત માં તેનો વાસ છે....આ વાત ને ધ્યાન માં લઇ ને જ્યારે યાત્રા કરશું તો આપણને ડગલે ને પગલે ઈશ્વર ની અનુભૂતિ થશે....યાત્રા કેટલી પણ કઠિન હશે, થાક નહીં લાગશે.
દાન પુણ્ય ફક્ત મંદિર માં જ થઈ શકે એવું નથી, યાત્રા દરમિયાન પણ તમે દાન પુણ્ય કરી શકો છો.
યાત્રા દરમિયાન આત્મનિરીક્ષણ (self introspection) કરતા રહેવું.... પોતે કરેલી ભૂલો, પાપ નો હિસાબ કિતાબ પણ પ્રવાસ ના ખર્ચા ની સાથે સાથે જ કરી લેવો.
મંદિર માં પોહચીએ ત્યારે ધાર્મિક વિધિઓ ની સાથે જ્યારે સંકલ્પ લેવાનું થાય ત્યારે પોતાની ખરાબ આદતો, અહંકાર, ઈર્ષા, .ક્રોધ....વિગેરે છોડવા નો સંકલ્પ કરવો જરૂરી છે....
નદીના સ્નાન વખતે ફક્ત શરીર નહીં પણ મન ને પણ પવિત્ર કરી ને જ્યારે ઈશ્વર સામે જઈશું ત્યારે સામે રહેલી, પ્રતિમા ના અદભુત સૌંદર્યમાં ઈશ્વર ના દર્શન જરૂર થાશે... 🙏
મારા મતે આ રીત ની તીર્થયાત્રા આપણે કોઈ પણ સમયે (at young/ midle age also) કરી શકીએ છીએ. ......કોઈ પણ ધાર્મિક સ્થળે જઇ ને કરી શકીએ છીએ... ફક્ત,
તીર્થયાત્રા પછી,
મન નું 'પવિત્ર' થવું જરૂરી છે,
વિચારો અને કર્મ સાત્વિક થવા જરુરી છે.🙏
આશા છે તમે પણ આજ રીતે નો મત ધરાવતા હશો અને જો યોગ્ય લાગે તો share જરૂર કરજો.🙏
Thank you.
-Dr. Neeta
તીર્થયાત્રા પર જનારા ભાવિકો અને વડીલો ને મારા પ્રણામ અને સુખરૂપ પ્રવાસ ની શુભેચ્છાઓ.! 🙏💐
તીર્થયાત્રા વિશે ના તમારા વિચારો નીચે comment box માં જરૂર લખજો.
આ લેખ બદ્દલ તમારો feedback, અભિપ્રાય, મારો ઉત્સાહ વધારશે. Thank you.🙏
#JAGRUTI
#જાગૃતિ
#તીર્થયાત્રા #tirth
#pilgrimage #pilgrim
#મોક્ષ # salvation
#introspection #આત્મનિરીક્ષણ
#શાંતિ #peace
#ઈશ્વર #god
#ચારધામયાત્રા #ધાર્મિકસ્થળ #આસ્થા #ભક્તિ #પૂજા #કીર્તન