Friday, October 7, 2022

લગ્ન ની તૈયારીઓ

હમણા થોડા દિવસ પહેલા જ માર્કેટ માં મારા જુના પાડોશી  બકુલાબેન મળી ગયા.....wedding cloth store ની બહાર ઉભા હતા,  થોડા ઘાઈ માં દેખાતા હતા. આજુ બાજુ જોતા, આંટા ફેરા કરતા, વારે વારે ઘડિયાળ માં time જોતા હતા. લાગતુંતું કોઈ ની વાટ જોતા હતા.

મેં દૂર થી જોયા, એમનું ધ્યાન નહોતું, પણ મારું મન એમને મળવા માટે ખેંચાણું...કેટલા વર્ષો પછી જોયા...તો મળ્યા વગર કેમ રહેવાય? કહે છે ને પહેલો સગો પાડોશી!
મને ચોક્કસ ખાતરી હતી કે એ પણ મને મળી ને ખુશ થાશે.... એટલે એમને મળવા, જલ્દી જલ્દી રસ્તો cross કર્યો ને હળવેક થી એમની પાછળ ઉભી રહી ગયી ને પૂછ્યું, કેમ બકુલા બેન કેમ છો? કોની વાટ જુઓ છો?

મારો અવાજ સાંભળતા જ એમણે turn કરી ને જોયું ને એટલા ખુશ થયાં કે મને ભેટી પડ્યા...ઓ હો! નિતા બેન.....કેમ છો? કેટલા વર્ષે જોયા તમને!......
સારું થયા તમે મળી ગયા. એક ખુશખબરી આપવી છે. આપણી નિકીતા ની સગાઈ કરી!! 
દિવાળી પછી લગ્ન છે!
આ સમાચાર સાંભળી હું પણ ખૂબ ખુશ થયી. વધાઈ આપી, મે પૂછ્યું ,
અહીં કોની વાટ જુઓ છો?....
એમણે કીધું, 
નિકીતા ની જ વાટ જોઉં છું. એ direct job પર થી અહીં આવશે. લગ્ન ની ખરીદી કરવી છે.....
મેં કીધું, કેમ? આટલી જલ્દી?? 
લગ્ન ને તો હજી ઘણી વાર છે. 
5-6 મહિના છે હજી નિરાંતે કરજો.

બકુલા બેન હસ્યાં.... લગ્ન ની કેટલી બધી ત્યારીઓ હોય, નીતા બેન! થોડી થોડી અત્યાર થી કરશું, ત્યારે time પર પુરી થાશે. 
લગ્ન ની તારીખ નીકળી કે સૌથી પહેલો તો hall book કર્યો. ....નહીં તો પછી, choice ના હોલ નથી મળતાં. 
સામેવાળા પૈસાવાળા છે તો hall પણ સારો જોઈશે. Enough Parking પણ જોઈએ ને...મહેમાનો માટે.
Hall booking થયી ગયું તો, પછી હવે દુલ્હન ને તયાર કરવા વાળી ને પણ બુક કરવી પડશે....તમારી પાસે કોઈ reference હોય તો કહેજો.  જે famous છે એના તો બહુ charges છે. ઓછા માં ઓછા 25000/ તો લે જ છે.
એના પછી દાગીના, પહેરામણી, વિગેરે જોઈશું....ક્યાં દિવસ પુરા થઈ જશે....ખબર પણ નહીં પડે......હમણાં તો અમે સગાઈ ની ત્યારીઓ કરી રહ્યા છીએ. નાનું function છે, નજદીક ના જ સગા વહાલા હશે...
થોડું થોડું કરતા પણ budget છેલ્લે વધી જ જાય. હમણા આ વરસાદ ની season માં બધી બાજુ sale ચાલે છે, તો થોડું સસ્તું પડશે!

આ તો નિકીતા ના નામે થોડી  ઘણી બચત કરી રાખી છે, ને થોડું ઘણું સોનુ, નિકીતા   નાની હતી ત્યારે થી લેતી આવી છું. એટલે બહુ ચિંતા નથી ....પણ મન માં ઘભરાટ તો થાય જ ને......
આપણા ઘરે પેહેલો પ્રસંગ છે, તો ક્યાંય ભૂલ ન થવી જોઈએ...નવા નવા વેવાઈ નું ધ્યાન તો બરાબર રાખવું જ પડશે ને....

આટલી બધી વાત એક શ્વાસે બોલી ગયા....ને એમના ચહેરા પર રીતસર નો ઘભરાટ દેખાતો હતો!
મેં એમને આશ્વાસન આપ્યું, ચિતા ના કરો, બધુ વ્યવસ્થિત થયી જાશે.....
( પણ મન માં એમની વાત સાચી પણ લાગી ને એક રીતે ખેદ પણ થયું, કે એક દિવસ ના લગ્ન માટે દીકરી ના માં બાપ ને કેટલું બધું planning કરવું પડે છે!! )

સાચે જ લગ્ન ની ખૂબ જ ત્યારીઓ હોય છે..
ઢોલ વાળા થી લઈ, કંકોત્રી, caterers, photographer, મહેંદી રસમ, સંગીત સંધ્યા, મહારાજ, ડેકોરેશન, જમવાનું menu,  reception નું venu, વિદાય, હનીમૂન....etc, etc....

લગ્ન ની ત્યારીઓ જેટલી કરીએ એટલી ઓછી. છેલ્લી ઘડીએ કાઈ ને કાંઈ રહી જ જાય ને  દોડા દોડ થાય!

મનમાં થયું, 
ફક્ત એક દિવસ ના લગ્ન માટે  આટલી બધી ત્યારીઓ બંને પક્ષ કરે છે , 
પણ 
જીવનભર નિભાવવા પડનારા 
લગ્ન માટે ની ખરી ત્યારીઓ કોઈ કરે છે, કે? 

શુ આપણે,
આપણા દીકરા કે દીકરી ને લગ્ન માટે માનસિક રીતે ત્યાર કર્યા છે ?

શુ બંને જણા લગ્ન ના બંધન ને નિભાવવા માટે યોગ્ય રીતે ત્યાર છે કે નહીં એ ક્યારેય આપણે  વિચાર્યું છે?

શુ આપણો દીકરો કૌટુંબિક, સાંસારિક, ને આર્થિક જવાબદારી પૂર્ણ પણે સંભાળી શકે એટલો ત્યાર છે, કે ?

શું આપણી દીકરી સાસરા ને પોતાનું ઘર માની કૌટુંબીક બધી જ જવાબદારીઓ ઉપાડી શકે એટલી પરિપક્વ છે ?

શુ આપણો દીકરો, પત્ની અને માં બાપ વચ્ચે સમતોલ જાળવી શકે એટલો સમજદાર છે ??

ભાવિ પતિ પત્ની ને લગ્ન પછી  કેટલી  adjustment કરવી પડશે એની માટે શું બંને ત્યાર છે, કે?...

આપણે ક્યારેય આપણા બાળકો ને આ રીતે લગ્ન માટે ત્યાર કર્યા છે??

બાળકો તો છોડો,

શું આપણે, આવનારી વહુ માટે, adjust થવા, થોડું ઘણું બાંધછોડ કરવા માટે પોતાના મન ને ત્યાર કર્યું છે??

શું આપણે દીકરી ને સાસરે વળાવી પછી એના પ્રત્યે ની માયા થોડી ઓછી કરી શકીએ એટલા ત્યાર છીએ??

શુ બંને વેવાઈઓ એકબીજા સાથે મુક્ત મને વાત કરી શકે, પોતાનાં problems share કરી શકે એટલા નજદીક આવી શક્યા છે?  

આવી તો કેટ કેટલી જરૂરી માનસિક ત્યારીઓ લગ્ન ની so called "ત્યારીઓ" માં  રહી જાય છે અને લગ્ન લેવાઈ જાય છે....ને પછી થાય છે અસલી કસોટી!
બધાની અપેક્ષાઓ  ક્યારેક પુરી થાય છે ક્યારેક નથી થતી......ત્યારે શું કરવું?? 
એની સમજ આપણે કેળવી છે??

શું આપણે આપણા ઘર માં લેનારા લગ્ન માટે આ રીત ના સજ્જ છીએ?
આ બાબતે એક વખત સહજ વિચારી જોઈશું.

લગ્ન ની બાહ્ય ત્યારીઓ માં, ક્યાંક જરૂરી આંતરિક ત્યારીઓ રહી ના જાય, એનું ધ્યાન આપણે જરૂર રાખીશું.

લગ્ન' ફક્ત બે વ્યક્તિ ઓ નું નહીં બે પરિવારોનું પણ મિલન કરાવે છે....એને જિંદગીભર નો સુખદ અનુભવ બનાવવા આપણે, બંને પક્ષે પૂર્ણ ત્યારીઓ રાખીશું!

જે રીતે  pre-wedding photoshoot હોય છે, એ રીતે pre-wedding counselling sessions બંને families અને ભાવિ પતિ-પત્ની માટે હોવા જોઈએ.......કદાચ આ રીત ના પ્રાયોજન થી ઘણી બધી સગાઈ અને લગ્નજીવન તૂટતા બચી જશે.  આજ ના સમય ની આ need છે. 

આપણા સમાજ ના પ્રતિનિધિઓ અને વડીલો, આ સુઝાવ પર નોંધ લે, એવી અપેક્ષા સાથે મારુ મંતવ્ય પૂરું કરું  છું. 
ધન્યવાદ!
Disclaimer :  આ લેખ નો ઉદ્દેશ્ય ફક્ત સામાજિક જાગરૂકતા પહોંચાડવાનો છે. કોઈ ના વિચારો ને oppose થયું હોય કે agree ના થતું હોય તો  માફ કરજો..
- Dr. Neeta
(From the diary of 'સાસરે જતી દીકરી')
આ જ series  નાં બીજા બે આર્ટિકલ્સ
 - લગ્ન ની ત્યારીઓ!
-  દિકરી ની વિદાય 
વાંચવા માટે નીચે આપેલ લિંક ને follow કરો.
https://drneetathakkar.blogspot.com/

Please like, share and comment!

 
#jivan JAGRUTI
# જીવનજાગૃતિ
#લગ્નનીત્યારીઓ #સંગીતસંધ્યા
#મહેંદીરસમ
#indianmarriages
#weddingplanning
#weddingdecorations
#weddingreception
#mandapdecorations
#dulhanmakeup
#beautician
#weddingphotography











Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...