Friday, November 17, 2023

ढुंढने पर तो भगवान भी मिल जाते है,"

"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
આ વાક્ય, આપણે જીવન માં કેટલી વાર સાંભાળ્યો હશે , પણ ક્યારેય અનુભવ કર્યો છે??

આજે એવા જ એક અનુભવ ની વાત કરું છું.

વાત છે દિવાળી નાં દિવસ ની!

Diwali નાં આગલા દિવસે,
હું અને મારા husband, Diwali કેવી રીતે celebrate કરીએ એનો પ્લાન બનાવતા હતા.
બન્ને એ નક્કી કરેલું કે આવતી કાલે દિવાળી એ આપણે, સવાર ના વેહલા ઉઠી, ત્યાર થઇ, મંદિરે દર્શન કરવા જશું.

પછી વિચાર્યું, કયાં મંદિરે જઈએ??....થાણા નાં શંકર નાં મંદિરે જઈએ....કે મુલુંડ નાં બાલરાજેશ્વર મંદિરે જઈએ, કે બીજા કોઈ પ્રસિદ્ધ મંદિરે જઈએ??

વિચારતા, વિચારતા, સૂઝી આવ્યું,
આપણે મુંબઈ, babulnaath મંદિરે જઈએ તો??
ઘણા વર્ષો થી આ મંદિરે નહોતા ગયા....એટલે થયું મઝા આવશે, દિવાળી નાં દિવસે ત્યાં જવવાની.

Diwali નાં દિવસે સવાર, સવાર માં વેહલા ઉઠી, મંદિર પર દર્શન કરવા જવાનો અનોખો જ આનંદ હોય છે.....બચપણ માં તો અમે દિવાળી નાં ચાર દિવસ, રોજ કલ્યાણ નાં વિષ્ણુ મંદિર માં જતાં, દર્શન કરવા. સવાર  ની મંગળા આરતી, અને શુભ દિવસ ની આભા જ કાઈ અલગ હોય છે ને???.......કદાચ આજ કાલ ના young generation ને એ નહીં સમજાય, પણ મારા તમારા જેવા ને આ અનુભવ ખૂબ આનંદદાયક અને પરમ શાંતિ અપાવનારો લાગે છે.

Husband એ પૂછ્યું, એના પછી શું પ્લાન છે?? Mein કીધું. ત્યાં મંદિર માં થોડો ટાઈમ પાસ કરી, બપોર ના ચોપાટી પર Thacker's ક્લબ માં ગુજરાતી થાળી, નું lunch કરીશું.....

Ok, પછી, શું કરીશું??

પછી આપણે, ભૂલેશ્વર જઈશું, ત્યાં આપણા ઘર ના મંદિર માટે ગણપતિ ની મૂર્તિ લયીશું.....ત્યાં ઘણી બધી દુકાનો છે, ગિફ્ટ shops છે, આપણને મનગમતી જેવી જોઈએ એવી મૂર્તિ મળી જશે.
આ વાત સાંભળી મારા husband એ તરત જ હા પાડી દીધી, એમને મુંબઈ થી ગણપતિ ની મૂર્તિ લેવાની વાત જચી ગઈ.....કારણકે કેટલા દિવસ થી વિચારતા હતા, અને જોતાં હતા, પણ અમને જોઈએ તેવી મૂર્તિ, અહી થાણા, મુલુંડ માં નહોતી મળતી.....

Husband એ કહ્યું, 
સારું, એ બહાને દિવાળી નાં દિવસે, લક્ષ્મી પૂજન માં આપણે મૂર્તિ નું સ્થાપન પણ કરી દેશું. 
એમને main ગણપતિ ની મનગમતી મૂર્તિ લેવા મળશે એ વાત માં વધુ interest હતો....કારણકે આજ નાં શુભ દિવસે ભગવાન ની સ્થાપના ઘર નાં મંદિર માં થાય, એનાથી વધુ શુભ કામ શું હોઈ શકે??

Diwali નો દિવસ આવ્યો. નક્કી કર્યા પ્રમાણે સવાર નાં વેહલું તો નહીં નીકળાયું પણ લગભગ  1.30 વાગ્યે અમે babulnaath મંદિરે પહોંચ્યા (કારણકે એ દિવસે Sunday હતો એટલે મેગા બ્લોક્સ ને કારણે trains બધી late હતી, ઘણી બધી cancel થઈ ગયેલી એટલે overcrowded હતી. એટલે એક બે ટ્રેન છોડવી પડી.)

દર્શન કર્યા, મંદિર માં થોડીવાર બેઠા, 3.00 વાગવા આવ્યા.  પછી ખ્યાલ આવ્યો, lunch માટે મોડા પહોંચશું તો ગુજરાતી થાળી 3.30 વાગે બંધ થઈ જશે, એટલે તુરંત જ lunch માટે નીકળ્યા.

સરસ મજા નું lunch લીધું, 4.00 વાગી ગયા. નક્કી કર્યા પ્રમાણે ભુલેશ્વર જવાનું હતું, મૂર્તિ લેવા માટે, એટલે google પર search કર્યું. ઘણી બધી shops હતી પણ closed દેખાડતી હતી.  હવે શું કરવું. એકાદ બે shops ખુલ્લી હતી પણ એ દિવાળી હતી એટલે half day પછી બંધ કરવાની હતી. .....એમને request કરી તો કહે જલ્દી આવો. અમે વાટ નહીં જોઈએ. 

જલ્દી જલ્દી taxi પકડી અમે ભૂલેશ્વર પહોંચ્યા....પણ દુકાન બંધ થઇ ગઈ હતી. આજુ બાજુ પૂછ્યું તો કહે, તમે લોહાર ચાલ જાઓ, ત્યાં મળશે. 
ભૂલેશ્વર ની ગલીઓ માં જલ્દી થી ટેક્સી નાં મળે.....એટલે ચાલી ચાલી ને લોહાર ચાલ ગયા. ત્યાં એક બે દુકાન હતી પણ બંધ હતી. 
આજુબાજુ પૂછ્યું, તો કહે સુથાર ચાલ જાઓ, ત્યાં મળશે....લોહાર ચાલ થી સુથાર ચાલ ગયા. રસ્તા માં ફૂટપાથ પર નાની નાની મૂર્તિ લયી ને બેઠા હતા, એમને પૂછ્યું તો કહે, અબ્દુલ rehmaan Street के उधर मिलेगा।  

ચાલતા ચાલતા 5.00 વાગી ગયા! મારા husband ને, ચા વગર નાં ચાલે એટલે એક નાનકડી હોટેલ દેખાઈ, ત્યાં ચા પીવા બેઠા. આમ કરતાં કરતાં 5.30 વાગી ગયા. ફરી ચાલી ને અબ્દુલ rehman સ્ટ્રીટ પાસે આવ્યા.....ત્યાં stationary દુકાનો વધુ પડતી હતી અને બધી બંધ હતી.

(Actually એ દિવસે દિવાળી હતી, એટલે સ્વાભાવિક છે, બધા કામગારો, દુકાનદારોએ બંધ રાખ્યું હતું..દિવાળી ની ઘરાકી માં કેટલા દિવસ થી છુટ્ટી નહોતી કરી તો, દિવાળી નાં દિવસે તો છુટ્ટી  જોઈએ ને !!

શું કરીએ હવે?? લાગતું નોહ્તું કે આજે ગણપતિ ની મૂર્તિ મળશે. 
અમે બંને ચાલી ચાલી ને થાક્યા હતા, હતાશ પણ થઇ ગયા હતા, આજે મૂર્તિ ની સ્થાપના નહીં કરી શકીએ. મોડું પણ થતું હતું. (છોકરા ઓ ને promise કરેલી કે અમે 6.00 વાગ્યા સુધી ઘરે આવી જશું, પછી સાંજ નાં બધા સાથે મળી દિવાળી celebration કરીશું.)

અબ્દુલ rehman strret થી અમે ક્યારે crafard માર્કેટ આવી ગયા ખબર ન પડી.
મન માં થયું બસ, હવે આ છેલ્લો રસ્તો છે. અહી થી mein road દેખાય છે. હજી એકાદ ગલ્લી માં ઘુસી જઈએ, નહિ મળે તો મેઈન રોડ થી CST station ની કેબ કરી, મુલુંડ ની ટ્રેન પકડી લેશું.  

ચાલતા ચાલતા એક અડધી ખુલ્લી શોપ દેખાણી , ત્યાં પૂછ્યું તો કહે અમે મૂર્તિ નથી રાખતા પણ પાછળ ની galli માં check કરો. ત્યાં ઘણી બધી shops છે પણ આજે કદાચ બધી બંધ હશે, દિવાળી નાં કારણે. જુઓ કદાચ કોઈ ખુલ્લી હોય તો મળી જશે....try કરો.

મેં મારા husband ની સામે જોયું. અમારા બંને માં તાકાત નહોતી, હિંમત પણ નહોતી ચાલતી, છતાં એકબીજા ને નારાજ નાં કરી શક્યા.....

ચાલો, એક last chance લયીએ. મન માં પ્રબળ ઇચ્છા હતી કે મૂર્તિ મળી જાય, પણ દિમાગ અને પગ સાથ નહોતા આપતા.
કહે છે ને, 
શ્રદ્ધા નો વિષય હોય ત્યારે તર્ક અને દિમાગ કામ નાં કરે એ જ સારું. 

બે ગલી વટાવી, એક ગલી ક્રોસ કરી ત્યારે છેવટે અમે સારંગ સ્ટ્રીટ પર પહોંચ્યા...વચ્ચે એક led lighting વાળો આવ્યો, એની પાસે થી મંદિર પર લગાવવા straight પટ્ટી વાળી lightings પણ લયી લીધી...
ત્યાં એક બૈરી વાત કરતી હતી, લક્ષ્મી પૂજન કે લિયે 6.30 to 8 કા સમય बहोत अच्छा है, मुहूर्त चूकना मत!

મેં ભગવાન ને પ્રાર્થના કરી, બસ, ફક્ત મૂર્તિ મળી જાય હવે! હે ભગવાન, કૃપા કરો......
(કહે છે ને મન થી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળી લે છે!!)

સારંગ સ્ટ્રીટ પર ઘણી બધી ગિફ્ટ આર્ટિકલ્સ અને novelty items ની લાઈનબંધ દુકાનો હતી..પણ પણ...બધી જ બંધ! આમ તેમ નજર ફેરવી તો ખૂણા માં એક દુકાન દેખાઈ જ્યાં બહાર થી જ showcase માં ગણપતિ ની મુર્તિ દેખાતી હતી.....એ જોઈ ને અમારી બંને ની આંખો માં ચમક આવી ગઈ, જેમ કે પ્યાસા ને કૂવો દેખાઈ ગયો હોય. 
(કહે છે ને,  प्यास लगी हो तो कुएं के पास जाना पड़ता है, कुआ आप के पास नहीं आता।)

 એક પણ મિનિટ નો સમય બગાડ્યા વગર, અમે જલ્દી થી, એ દુકાને પહોંચ્યા... દુકાન માલિક દુકાન બંધ કરવાની પેરવી માં જ હતો....એને કહ્યું   इधर नही है, मेरे पास! आप को जैसी चाहिए वैसी मूर्ति, मेरे गोडाउन पर है, लेकिन अभी वो बंद कर रहे है।  
અમે એને દિલ થી request કરી, ને convince કર્યું કે અમે ક્યાર થી રખડીએ છીએ, please અમને તારા ગોડાઉન નું એડ્રેસ આપ. 
એને અમારા પર દયા આવી, કહ્યું,  मेरा गोडाउन सामने क्रॉस कर के जाओ, ऊपर फर्स्ट फ्लोर पे है। जल्दी जाओ वरना वो बंद कर रहा है।  (સાંજ ના 6.00  તો અહીં જ વાગી ગયા હતા. મુહુર્ત નો ટાઇમ નિકળી નાં જાય એની ચિંતા થઇ રહી હતી.)

અમે જલ્દી જલ્દી લાકડા નાં દાદરાઓ ચઢી 1st floor પર ગયા. એક ખૂણા માં  દૂર થી દેખાય પણ નહિ, એવી એક દુકાન જોઈ, અંદર ગયા. અમે કીધું, તમારા ભાઈ એ અમને મોકલ્યા છે, એટલે દુકાનવાળો અમને સાંભળવા ઊભો રહ્યો....

અમે કીધું, ગણપતિ ની મુર્તિ જોઈએ છે. એને પૂછ્યું, કેટલી? મેં કીધું, એક! 
દુકાનદારે કીધું, sorry, madam, અમે wholesaler છીએ, ફક્ત એક મૂર્તિ વેચતા નથી. Minimum 10k નો માલ લો તો અમે બતાવીએ અને એ પણ પાંચ જ minitues મા પસંદ કરો, અમને બહુ late થઇ ગયું છે. લક્ષ્મી પૂજન માટે ઘરે જવું છે. મુહુર્ત નિકળી જશે.  
મેં એમને મારી પૂરી દાસ્તાન સંભળાવી એટલે નાં છૂટકે એ એક મૂર્તિ આપવા રાજી થયો અને અમને એની દુકાન માં જવવાની પરમિશન આપી. કહ્યું, પાંચ મિનિટ માં મૂર્તિ પસંદ કરી લો. 
(આમ જોઈએ તો એની દુકાન માં એટલું બધું collection હતું કે, બધી shelves પર નજર નાખીએ તો પણ પાંચ મિનિટ પતિ જાય. )

મેં જલ્દી થી મારી નજર ફરાવી, 
નીચે ની એક shelf માં અંદર ની સાઇડ પર એક મૂર્તિ દેખાતી હતી, એના પર મારી નજર ગઈ. મેં એને જલ્દી થી એ મૂર્તિ બહાર કાઢવા કહ્યું અને બીજે પણ નજર ફેરવી તો એકદમ ઉપર ની shelf પર એક મૂર્તિ અમારી પસંદ પ્રમાણે હતી. બંને મૂર્તિ કઢાવી, ટેબલ પર સાથે રાખવા કહ્યું....દુકાનવાળો ચિડાયો,  अब जल्दी करो, टाइम मत निकालो, हमें दुकान बंद करना है। મેં એને request કરી, ભાઈ સિર્ફ દો મિનિટ દો. 

અમને બંને ને નીચે વાળી shelf ni મૂર્તિ વધુ પસંદ પડી, સાઇઝ માં થોડી નાની હતી, પણ મેં મન માં કીધું, 
ભગવાન નો પાડ માનું કે આ દુકાનવાળા એ  હા  પાડી, નહીં તો આટલી સરસ મૂર્તિ, મને આજ ના દિવસે, મુહુર્ત નાં સમય માં મેળવવી, કેટલું મુશ્કિલ કામ હતું.....પણ ઈશ્વર દુકાનવાળા નાં મનમાં વસ્યા, ને અમને મૂર્તિ લેવાની પરમિશન આપી. 
હું ખરા દિલ થી એની આભારી હતી! 
પૂજા નું સાચું ફળ આજે એને જરૂર મળશે, એવું કહી મેં જલ્દી થી payment કરી મૂર્તિ લયી લીધી. 

6.30 pm થઇ ગયા હતા. 
મેં મારા husband ને કહ્યું ભગવાન, જાણે, આપણને સામે ચાલી ને આજે મળ્યા છે....ઈશ્વર ની ખરેખર આજે આપણા પર કૃપા થઇ છે..., ચાલો જલ્દી થી સ્ટેશન જઈએ, ફાસ્ટ ટ્રેન મળશે તો, 7.30 વાગ્યા સુધી મુલુંડ પહોંચી જયીશું અને ભગવાન ની ઈચ્છા હશે તો 8.00 વાગ્યા પેહલા ઘરે પહોંચી જશું તો, ઘરે પહોંચતા જ શુભ મૂહુર્ત માં મંદિર માં ભાગવાન ને સ્થાપિત કરી દઈશું.
(Next challenge હતી કે 8.00 વાગ્યા પેહલા, ઘરે પહોંચી, શુભ મૂહુર્ત માં Laxmi pujan નાં સમયે મંદિર માં શ્રી ગણેશ ની સ્થાપના કરવી.)

જ્યારે ઈશ્વર તમારી સાથે હોય ને તો કોઈ પણ મુશ્કિલ કામ , आसान થઇ જાય છે!
અમારી સાથે તો આજે સાચે જ ભગવાન હતા. અમને સમયસર ફાસ્ટ ટ્રેન મળી ગઈ. 7.45 નાં ઘરે પહોંચી ગયા. મારી દીકરી એ પેહલે થી જ પૂજા ની બધી ત્યારી કરી રાખેલી. 7.50 pm નાં (8.00 વાગ્યા ની પેહલા) અમે મંદિર માં ગણપતિજી ની મૂર્તિ સ્થાપિત કરી અને 8.00 વાગ્યા સુધી લક્ષ્મી પૂજન પણ કરી લીધું.

પછી,નિરાંતે બેસી મારા છોકરાઓ ને અમારી આજ ની ઉપર કહેલી સ્ટોરી કહી. ત્યારે મારા દીકરા ને યાદ આવ્યું,
મમ્મી, કહે છે ને, 

"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
 આજે આ સિધ્ધ થયું છે, આપણી સાથે!
 ત્યારે મેં એને સમજાવ્યું,

"ढुंढने पर तो भगवान भी मिल जाते है।" આ તો એક કહેવત છે, જે મેં ખરા અર્થ માં આજે અનુભવી, પણ કેહવાનું તાત્પર્ય એ છે કે,
જો તમે સાચા દિલ થી ચાહો તો કોઈ પણ મુશ્કિલ કામ સારી રીતે પૂરું થાય છે, ફક્ત કોશિશ કરતા રહો, મેહનત કરતા રહો, ધૈર્ય રાખો, આસ્થા રાખો, તમારું ધારેલું કામ, ધારેલી ઈચ્છા પરિપૂર્ણ થાય છે, ફક્ત કામ નેક હોવું જોઈએ ને ઈચ્છા પ્રબળ હોવી જોઈએ!
કહે છે ને,
"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
सिर्फ  नियत और काम में सच्चाई हो और मंजिल पाने की प्रबल इच्छा हो।

धन्यवाद!
शुभ दीपावली!

Wish you all a very Happy Diwali!
and Happy Jalaram Jayanti, today!
Jay jalaram!

Thanks for reading,
Dr. Neeta @ jivanJAGRUTI
"ढुंढने पर तो भगवान भी मिल जाते है।"

  જૉ તમારો પણ કોઈ આવો experience રહ્યો હોય તો નીચે comment section માં જરૂર share કરજો!

अगर आप का भी कोई ऐसा experience रहा हो तो, नीचे दिए हुए comment सेक्शन में जरूर share कीजिए।

Please like, share and comment do share with your friends and relatives on occasion of Jalaram Jayanti, today!
Jay Jalaram!🙏





Babulnath mandir at Chowpaty, Mumbai!
हमारे घर के मंदिर में विराजमान श्री गणेशजी, नमन!

श्री जलाराम दर्शन! वीरपुर, गुजरात, के महान संत श्री जलाराम!
19th Nov, 2023, Jalaram Jayanti today

Rangoli at Babulnath temple!

At Babulnath temple!

Address and shop at Mumbai, from which we bought a beautiful Ganpati idol. Must visit it once, if you happen to visit Mumbai, near crafard market area.

#HappyDiwali
#jaybabulnath
#जयजलाराम
 #જયજલારમ
#જલામજયાંતિશુંભેછાઓ
#JalaramJayanti2023
#વિષ્ણુમંદિરKalyan 





















Tuesday, November 7, 2023

12th Fail - film review


12th Fail -


It is a story of RE-START!

It is a story of HONESTY!

It is a story of PERSEVERANCE!

It is a story of HARD WORK!

It is a story of FAILURES!

It is a story of "हारा वही, जो लड़ा नहीं!"

A આ ફિલ્મ ચંબલ નાં એક નાનકડા ગામમાં રહેતા ગરીબ કિશોર ની છે જેણે 12TH માં fail  થયા પછી પણ આઇપીએસ બનવા નું સપનું જોયું અને એ સપનાં ને કેવી રીતે પૂરું કર્યું અને એમાં શું શું બાધાઓ આવી અને એને કેવી રીતે  એણે પોતાની મેહનત અને લગન થી દરેક મુશ્કિલ નો સામનો કર્યો અને પોતાના લક્ષ ને પૂરું કર્યું.

તમને લાગતું હશે કેટલી સિમ્પલ સ્ટોરી છે. આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે અને સંભાળ્યા છે.

હા સાચી વાત છે, આ film એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આઇપીએસ ઓફિસર રજતકુમાર શર્મા અને એના સંઘર્ષ ની કહાની છે.

પણ દર્શકો, આવી સંઘર્ષ કથાઓ પર તો ઘણા પિક્ચર બન્યા છે.....તો એવું શું ખાસ છે, આ ફિલ્મ માં?? 

સ્વભાવિક છે, જ્યારે ફિલ્મ નાં director Vidhu Vinod Chopra હોય તો ફિલ્મ તો ખાસ બનવાની જ છે....પણ સાથે સાથે main role, Rajat Sharma નો  જેણે નિભાવ્યો છે - Actor Vikrant Massey..........એની એક્ટિંગ કાબિલે તારીફ છે.

આ ફિલ્મ ફક્ત એક્ટિંગ કે રિયલ સ્ટોરી છે, કે સારું direction છે એટલે જોવા નહીં જતાં.....પણ આ સ્ટોરી, ભારત ની upsc examination ની બ્લેક એન્ડ વ્હાઈટ reality બતાવે છે. ઇન્ડિયન સિવિલ services માટે શું કામ વિદ્યાર્થીઓ ને આટલો ક્રેઝ છે?.... કેટલા ઓછા વિદ્યર્થીઓ પોતાની મંઝીલને પામી શકે છે. છતાં પણ લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા માં દર વર્ષે બેસે છે, fail થાય છે ને વારવાર છેલી attempt સુધી કોશિશ કરતા રહે છે, થાકી જાય, હટી જાય, વિશ્વાસ ગુમાવી બેસે છે પણ હમેશા ફરી એક આશ સાથે RESTART કરે છે.

Re - start જેટલું કેહવુ સેહલું છે. એટલું કરવું સૌથી અઘરું છે... કડી મેહનત પછી પણ જ્યારે તમને સફળતા ના મળે અને ફરી થી restart કરવું પડે ત્યારે તમારા ધૈર્ય, ની ખંત ની અને હિંમત ની ખરી પરીક્ષા થાય છે. આ હિંમત, જજબા ને ટકાવો ખૂબ મુશ્કિલ હોય છે પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ  જ નથી રેહતો જ્યારે એના  પરિવાર ની આશ એના પર બંધાયેલી હોય છે. આ responsibility જ એમની તાકાત બની ને ફરી ફરી સંઘર્ષ ની આગ માં ઝોકે છે.

Upsc aspirants ને મોટીવેશન કોણ આપે છે?? એમના જ seniors, ex students જે આ પરિક્ષા પાર નથી કરી શક્યા, એવા students, જ્યારે deserving student માં પોતાની છબી જોy છે ત્યારે ફિલ્મ નાં હીરો ને હારવા નથી દેતા, એમની માટે એક નું પાસ થવું, એ લાખો students નાં સપનાં ને પૂરું થયા બરાબર હોય છે....("तेरे अकेले की लड़ाई  नहीं है, हम सब की लड़ाई है!" અહી આ dialogue મન ને સ્પર્શી જાય છે.) 
આ સમયે, એક past student કેવી રીતે પિક્ચર નાં હીરો ને support કરે છે અને એક સાચો દોસ્ત કેવી રીતે પોતાના દોસ્ત ને કડવા શબ્દો કહી ને motivate કરે છે, એ જોઈ ને વિશ્વાસ થાય છે કે દુનિયા માં સારા લોકો પણ વસે છે, સાચા દોસ્ત પણ હોય છે. આવા રિયલ supporting actors ને લીધે જ દુનિયા માં મ્હેનતી અને પ્રામાણિક લોકો ટકી રહ્યા છે, નહીં તો આજ ની આ દુનિયામાં સાચા માણસ ને ટકવું મુશ્કિલ છે.

આ ફિલ્મ એવા દરેક વ્યક્તિઓ એ જોવી જે જીવન માં ખુબ સંઘર્ષ કરી ને આગળ આવ્યા હોય, જેમને હાર શું હોય છે એની પીડા ખબર હોય, જેમણે life માં વારવાર નીચે પડ્યા પછી પણ re-start કર્યું હોય છે, એ જ લોકો આ ફિલ્મ નાં દર્દ ને, જાણી શકશે અને relate કરી શકશે.

બધા જ students માટે true inspirational story છે. 
Must watch by students and their parents to realize the amount of pressure their children (students) undergo when appearing for high profile competitive exams!

ફિલ્મ નો take away message film ના end માં છે, જ્યારે હીરો ને   interview માં એમ પૂછવા માં આવે છે કે જો તમે તમારી last attempt માં select નહીં થયા તો શું કરશો????......એનો જવાબ હીરો શું આપે છે, એ જોવા આ ફિલ્મ જોવા જજો.  

જો upsc exams કે એના જેવી સમાંતર comoetitive exams, 4 ke 5 attempts ની તક આપતું હોય તો યાદ રાખવું, જીવન આપણને unlimited attempts ની તક આપે છે. Restart  કરવા નો જાજબો જો આપણે ટકાવી રાખીએ તો, the sky is your limit! No one can stop you from reaching your goals!
हारा वही है जो लड़ा नही!
Thanks!

Dr. Neeta Thakkar
@jivanJAGRUTI film review of
12th fail -an inspirational story!

Students, Please note : Please don't, get frustrated ever, if you fail to reach your desired goal. Accept  the plan B, the destiny has decided for you to work upon. Just give your best, in whatever you do. Result will follow automatically.👍👍👏👏

#jivanJAGRUTI
#जीवनजागृती
#12thfailfilmreview
#12thfail
#vidhuvinodchopra
#IPSofficerरजतकुमारशर्मा
#UPSC
#actorvikrantmassey

Above Book available on Amazon in English/Hindi.


 '12th Fail' directed by Vidhu Vinod Chopra, is based on the journey of IPS officer Manoj Kumar Sharma and IRS officer Shraddha Joshi. It has been smooth sailing for the Vikrant Massey starrer '12th Fail' at the box office.


https://images.app.goo.gl/EFsqzNqzMeXcYybD6

Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...