Friday, October 7, 2022

લગ્ન ની તૈયારીઓ

હમણા થોડા દિવસ પહેલા જ માર્કેટ માં મારા જુના પાડોશી  બકુલાબેન મળી ગયા.....wedding cloth store ની બહાર ઉભા હતા,  થોડા ઘાઈ માં દેખાતા હતા. આજુ બાજુ જોતા, આંટા ફેરા કરતા, વારે વારે ઘડિયાળ માં time જોતા હતા. લાગતુંતું કોઈ ની વાટ જોતા હતા.

મેં દૂર થી જોયા, એમનું ધ્યાન નહોતું, પણ મારું મન એમને મળવા માટે ખેંચાણું...કેટલા વર્ષો પછી જોયા...તો મળ્યા વગર કેમ રહેવાય? કહે છે ને પહેલો સગો પાડોશી!
મને ચોક્કસ ખાતરી હતી કે એ પણ મને મળી ને ખુશ થાશે.... એટલે એમને મળવા, જલ્દી જલ્દી રસ્તો cross કર્યો ને હળવેક થી એમની પાછળ ઉભી રહી ગયી ને પૂછ્યું, કેમ બકુલા બેન કેમ છો? કોની વાટ જુઓ છો?

મારો અવાજ સાંભળતા જ એમણે turn કરી ને જોયું ને એટલા ખુશ થયાં કે મને ભેટી પડ્યા...ઓ હો! નિતા બેન.....કેમ છો? કેટલા વર્ષે જોયા તમને!......
સારું થયા તમે મળી ગયા. એક ખુશખબરી આપવી છે. આપણી નિકીતા ની સગાઈ કરી!! 
દિવાળી પછી લગ્ન છે!
આ સમાચાર સાંભળી હું પણ ખૂબ ખુશ થયી. વધાઈ આપી, મે પૂછ્યું ,
અહીં કોની વાટ જુઓ છો?....
એમણે કીધું, 
નિકીતા ની જ વાટ જોઉં છું. એ direct job પર થી અહીં આવશે. લગ્ન ની ખરીદી કરવી છે.....
મેં કીધું, કેમ? આટલી જલ્દી?? 
લગ્ન ને તો હજી ઘણી વાર છે. 
5-6 મહિના છે હજી નિરાંતે કરજો.

બકુલા બેન હસ્યાં.... લગ્ન ની કેટલી બધી ત્યારીઓ હોય, નીતા બેન! થોડી થોડી અત્યાર થી કરશું, ત્યારે time પર પુરી થાશે. 
લગ્ન ની તારીખ નીકળી કે સૌથી પહેલો તો hall book કર્યો. ....નહીં તો પછી, choice ના હોલ નથી મળતાં. 
સામેવાળા પૈસાવાળા છે તો hall પણ સારો જોઈશે. Enough Parking પણ જોઈએ ને...મહેમાનો માટે.
Hall booking થયી ગયું તો, પછી હવે દુલ્હન ને તયાર કરવા વાળી ને પણ બુક કરવી પડશે....તમારી પાસે કોઈ reference હોય તો કહેજો.  જે famous છે એના તો બહુ charges છે. ઓછા માં ઓછા 25000/ તો લે જ છે.
એના પછી દાગીના, પહેરામણી, વિગેરે જોઈશું....ક્યાં દિવસ પુરા થઈ જશે....ખબર પણ નહીં પડે......હમણાં તો અમે સગાઈ ની ત્યારીઓ કરી રહ્યા છીએ. નાનું function છે, નજદીક ના જ સગા વહાલા હશે...
થોડું થોડું કરતા પણ budget છેલ્લે વધી જ જાય. હમણા આ વરસાદ ની season માં બધી બાજુ sale ચાલે છે, તો થોડું સસ્તું પડશે!

આ તો નિકીતા ના નામે થોડી  ઘણી બચત કરી રાખી છે, ને થોડું ઘણું સોનુ, નિકીતા   નાની હતી ત્યારે થી લેતી આવી છું. એટલે બહુ ચિંતા નથી ....પણ મન માં ઘભરાટ તો થાય જ ને......
આપણા ઘરે પેહેલો પ્રસંગ છે, તો ક્યાંય ભૂલ ન થવી જોઈએ...નવા નવા વેવાઈ નું ધ્યાન તો બરાબર રાખવું જ પડશે ને....

આટલી બધી વાત એક શ્વાસે બોલી ગયા....ને એમના ચહેરા પર રીતસર નો ઘભરાટ દેખાતો હતો!
મેં એમને આશ્વાસન આપ્યું, ચિતા ના કરો, બધુ વ્યવસ્થિત થયી જાશે.....
( પણ મન માં એમની વાત સાચી પણ લાગી ને એક રીતે ખેદ પણ થયું, કે એક દિવસ ના લગ્ન માટે દીકરી ના માં બાપ ને કેટલું બધું planning કરવું પડે છે!! )

સાચે જ લગ્ન ની ખૂબ જ ત્યારીઓ હોય છે..
ઢોલ વાળા થી લઈ, કંકોત્રી, caterers, photographer, મહેંદી રસમ, સંગીત સંધ્યા, મહારાજ, ડેકોરેશન, જમવાનું menu,  reception નું venu, વિદાય, હનીમૂન....etc, etc....

લગ્ન ની ત્યારીઓ જેટલી કરીએ એટલી ઓછી. છેલ્લી ઘડીએ કાઈ ને કાંઈ રહી જ જાય ને  દોડા દોડ થાય!

મનમાં થયું, 
ફક્ત એક દિવસ ના લગ્ન માટે  આટલી બધી ત્યારીઓ બંને પક્ષ કરે છે , 
પણ 
જીવનભર નિભાવવા પડનારા 
લગ્ન માટે ની ખરી ત્યારીઓ કોઈ કરે છે, કે? 

શુ આપણે,
આપણા દીકરા કે દીકરી ને લગ્ન માટે માનસિક રીતે ત્યાર કર્યા છે ?

શુ બંને જણા લગ્ન ના બંધન ને નિભાવવા માટે યોગ્ય રીતે ત્યાર છે કે નહીં એ ક્યારેય આપણે  વિચાર્યું છે?

શુ આપણો દીકરો કૌટુંબિક, સાંસારિક, ને આર્થિક જવાબદારી પૂર્ણ પણે સંભાળી શકે એટલો ત્યાર છે, કે ?

શું આપણી દીકરી સાસરા ને પોતાનું ઘર માની કૌટુંબીક બધી જ જવાબદારીઓ ઉપાડી શકે એટલી પરિપક્વ છે ?

શુ આપણો દીકરો, પત્ની અને માં બાપ વચ્ચે સમતોલ જાળવી શકે એટલો સમજદાર છે ??

ભાવિ પતિ પત્ની ને લગ્ન પછી  કેટલી  adjustment કરવી પડશે એની માટે શું બંને ત્યાર છે, કે?...

આપણે ક્યારેય આપણા બાળકો ને આ રીતે લગ્ન માટે ત્યાર કર્યા છે??

બાળકો તો છોડો,

શું આપણે, આવનારી વહુ માટે, adjust થવા, થોડું ઘણું બાંધછોડ કરવા માટે પોતાના મન ને ત્યાર કર્યું છે??

શું આપણે દીકરી ને સાસરે વળાવી પછી એના પ્રત્યે ની માયા થોડી ઓછી કરી શકીએ એટલા ત્યાર છીએ??

શુ બંને વેવાઈઓ એકબીજા સાથે મુક્ત મને વાત કરી શકે, પોતાનાં problems share કરી શકે એટલા નજદીક આવી શક્યા છે?  

આવી તો કેટ કેટલી જરૂરી માનસિક ત્યારીઓ લગ્ન ની so called "ત્યારીઓ" માં  રહી જાય છે અને લગ્ન લેવાઈ જાય છે....ને પછી થાય છે અસલી કસોટી!
બધાની અપેક્ષાઓ  ક્યારેક પુરી થાય છે ક્યારેક નથી થતી......ત્યારે શું કરવું?? 
એની સમજ આપણે કેળવી છે??

શું આપણે આપણા ઘર માં લેનારા લગ્ન માટે આ રીત ના સજ્જ છીએ?
આ બાબતે એક વખત સહજ વિચારી જોઈશું.

લગ્ન ની બાહ્ય ત્યારીઓ માં, ક્યાંક જરૂરી આંતરિક ત્યારીઓ રહી ના જાય, એનું ધ્યાન આપણે જરૂર રાખીશું.

લગ્ન' ફક્ત બે વ્યક્તિ ઓ નું નહીં બે પરિવારોનું પણ મિલન કરાવે છે....એને જિંદગીભર નો સુખદ અનુભવ બનાવવા આપણે, બંને પક્ષે પૂર્ણ ત્યારીઓ રાખીશું!

જે રીતે  pre-wedding photoshoot હોય છે, એ રીતે pre-wedding counselling sessions બંને families અને ભાવિ પતિ-પત્ની માટે હોવા જોઈએ.......કદાચ આ રીત ના પ્રાયોજન થી ઘણી બધી સગાઈ અને લગ્નજીવન તૂટતા બચી જશે.  આજ ના સમય ની આ need છે. 

આપણા સમાજ ના પ્રતિનિધિઓ અને વડીલો, આ સુઝાવ પર નોંધ લે, એવી અપેક્ષા સાથે મારુ મંતવ્ય પૂરું કરું  છું. 
ધન્યવાદ!
Disclaimer :  આ લેખ નો ઉદ્દેશ્ય ફક્ત સામાજિક જાગરૂકતા પહોંચાડવાનો છે. કોઈ ના વિચારો ને oppose થયું હોય કે agree ના થતું હોય તો  માફ કરજો..
- Dr. Neeta
(From the diary of 'સાસરે જતી દીકરી')
આ જ series  નાં બીજા બે આર્ટિકલ્સ
 - લગ્ન ની ત્યારીઓ!
-  દિકરી ની વિદાય 
વાંચવા માટે નીચે આપેલ લિંક ને follow કરો.
https://drneetathakkar.blogspot.com/

Please like, share and comment!

 
#jivan JAGRUTI
# જીવનજાગૃતિ
#લગ્નનીત્યારીઓ #સંગીતસંધ્યા
#મહેંદીરસમ
#indianmarriages
#weddingplanning
#weddingdecorations
#weddingreception
#mandapdecorations
#dulhanmakeup
#beautician
#weddingphotography











Saturday, May 21, 2022

તીર્થયાત્રા નો હેતુ!


આજકાલ આપણે તીર્થયાત્રાએ કેવી રીતે જઈએ છીએ ?
- રિટર્ન ટિકિટ, 
- ઝટપટ દર્શન, 
- સ્વાદિષ્ટ ખાવાનું, 
- ઝટપટ પાછા, અને 
- ઝટપટ કામધંધામાં પાછા જોડાઈ જવાનું. ?

🤷🏼‍♂️શું ઋષિઓએ આવી  તીર્થયાત્રાએ જવાનું કહેલું કે જેનાથી પુણ્ય મળે ?

ઉપરોકત પ્રશ્ન તીર્થયાત્રા વિશે થયેલી એક ચર્ચા માં પુછાયો હતો. એની માટે,
(તીર્થયાત્રા વિશે) મેં મારી સમજ નીચે પ્રમાણે રજુ કરી હતી.

તીર્થયાત્રા વિશે મારી સમજ
~~~~~~~~~~~~~~~~
તીર્થ શબ્દ નો અર્થ છે, 'પવિત્ર સ્થાન!'
અને યાત્રા એટલે પ્રવાસ
Dictionary meaning   આ પ્રમાણે છે.👇
तीर्थयात्रा:
धार्मिक उद्देश्य या भक्ति से पवित्र स्थान पर दर्शन,पूजा आदि के लिए जाने की क्रिया

तीर्थ स्थानों के दर्शनार्थ की जानेवाली यात्रा।
ઉપર આપેલ meaning પ્રમાણે,
જોઈએ તો ,
તીર્થયાત્રા પર જવું એટલે,
જે પવિત્ર સ્થળો છે, ત્યાં 
ભક્તિ, પૂજા, દેવ દર્શન માટે જવું.

Generally લોકો, પાછલી ઉંમરમાં, retired age માં તીર્થયાત્રા પર જાય છે.

શામાટે?
કદાચ એટલા માટે કે,
આ age સુધી જીવન ને આપણે પુરી રીતે જીવી લીધું હોય છે. સુખ-દુઃખ ને ઝીરવી લીધું હોય છે.
જીવન ની જવાબદારીઓ, ઘણે અંશે પુરી થઈ ગયી હોય છે...લગભગ ત્યારે, પોતાની મુક્તિ ની પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિ નો અનુભવ કરવા લોકો તીર્થયાત્રા પર જવાનું નક્કી કરે છે.

મતલબ,

તીર્થયાત્રા પર જવું એટલે આનંદ લેવા નહીં, પણ,
- આત્મા નું સુખ પામવા માટે જવું. - - - મોક્ષ ની અનુભૂતિ કરવા જવું.
- કુદરત ના સાનિધ્ય માં જવું.
- ઈશ્વર ની નજદીક જવું."

તીર્થયાત્રા પર જવા માટે શું શું તૈયારી કરવી ને ધ્યાન રાખવું?
1.લાંબી તીર્થયાત્રા માટે શારીરિક ક્ષમતા અને યોગ્યતા (physical fitness) હોવી પણ જરૂરી છે, માટે   સમયસર (at right age) planning કરવું.
2. સામાન -  ઓછો રાખવો...એટલે કે સુખ સગવડ ઓછી કરવી...  મોહ ઓછો કરવો. 
3. સંસાર ની માયા છોડવી. એટલે કે ઘર ની, સામાજિક, બિન જરૂરી ચિંતા ઓ છોડી દેવી.
4. સંયમ રાખવો - ખાવા પીવા માં, મોજ શોખમાં સંયમ કરવો.
5. ભક્તિ ને સાથે બાંધવી.
6. દાન - પુણ્ય કમાવવું.
તેની માટે આપણી  જમાપૂંજી ની ગાંઠ છોડવી.
7. પ્રવાસ દરમિયાન શારીરિક કાળજી રાખવી પણ અત્યંત જરૂરી છે.. પોતાની ચાલી રહેલી Regular દવાઓ સમયસર લેવી. પ્રવાસ માં થતી નાની- મોટી બીમારીઓ માટે ની દવાઓ ડૉક્ટર ની સલાહ મુજબ સાથે લયી જવી.

આ બધી માનસિક અને શારીરિક તૈયારી સાથે તિર્થયાત્રા પર નીકળી એ ત્યારે, તીર્થયાત્રા નું સાચું ફળ આપણે પામી શકીએ.

ઇશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવા જ્યારે યાત્રા કરીએ ત્યારે, એ ના ભૂલવું કે ઈશ્વર ફક્ત મંદિર માં નથી વસતો,
ઈશ્વર, દરેક મનુષ્ય, જીવ, પ્રાણી, નદી, પર્વત, કુદરત માં તેનો વાસ છે....આ વાત ને ધ્યાન માં લઇ ને જ્યારે યાત્રા કરશું તો આપણને ડગલે ને પગલે ઈશ્વર ની અનુભૂતિ થશે....યાત્રા કેટલી પણ કઠિન હશે, થાક નહીં લાગશે.

દાન પુણ્ય ફક્ત મંદિર માં જ થઈ શકે એવું નથી, યાત્રા દરમિયાન પણ તમે દાન પુણ્ય કરી શકો છો.

યાત્રા દરમિયાન આત્મનિરીક્ષણ (self introspection) કરતા રહેવું.... પોતે કરેલી ભૂલો, પાપ નો હિસાબ કિતાબ પણ પ્રવાસ ના ખર્ચા ની સાથે સાથે જ કરી લેવો. 

મંદિર માં પોહચીએ ત્યારે ધાર્મિક વિધિઓ ની સાથે જ્યારે સંકલ્પ લેવાનું થાય ત્યારે પોતાની ખરાબ આદતો, અહંકાર, ઈર્ષા, .ક્રોધ....વિગેરે છોડવા નો સંકલ્પ કરવો જરૂરી છે....

નદીના સ્નાન વખતે ફક્ત શરીર નહીં પણ મન ને પણ પવિત્ર કરી ને જ્યારે ઈશ્વર સામે જઈશું ત્યારે સામે રહેલી,  પ્રતિમા ના અદભુત સૌંદર્યમાં ઈશ્વર ના દર્શન જરૂર થાશે... 🙏

મારા મતે આ રીત ની તીર્થયાત્રા આપણે કોઈ પણ સમયે (at young/ midle age also) કરી શકીએ છીએ. ......કોઈ પણ ધાર્મિક સ્થળે જઇ ને કરી શકીએ છીએ... ફક્ત,

તીર્થયાત્રા પછી,
મન નું 'પવિત્ર' થવું જરૂરી છે, 
વિચારો અને કર્મ સાત્વિક થવા જરુરી છે.🙏
આશા છે તમે પણ આજ રીતે નો મત ધરાવતા હશો અને જો યોગ્ય લાગે તો share જરૂર કરજો.🙏

Thank you.

-Dr. Neeta
તીર્થયાત્રા પર જનારા ભાવિકો અને વડીલો ને મારા પ્રણામ અને સુખરૂપ પ્રવાસ ની શુભેચ્છાઓ.! 🙏💐

તીર્થયાત્રા વિશે ના તમારા વિચારો નીચે comment box માં જરૂર લખજો.
આ લેખ બદ્દલ તમારો feedback, અભિપ્રાય, મારો ઉત્સાહ વધારશે. Thank you.🙏

#JAGRUTI
#જાગૃતિ
#તીર્થયાત્રા #tirth
#pilgrimage #pilgrim
#મોક્ષ # salvation
#introspection #આત્મનિરીક્ષણ
#શાંતિ #peace
#ઈશ્વર #god
#ચારધામયાત્રા #ધાર્મિકસ્થળ #આસ્થા #ભક્તિ #પૂજા #કીર્તન 



    



Tuesday, April 19, 2022

ધર્મ એટલે શું?

જે રીતે દરેક મનુષ્ય જુદી જુદી રીતે બધી ચીજો ને જુએ છે ને સમજે છે.....

એ જ રીતે આપણે ધર્મ ને પણ જુદી જુદી રીતે જોઈએ છે ને સમજીએ છીએ... . પણ ધર્મ ની સાચી સમજ જાણવી બહુ જરૂરી છે.

મે પણ જિજ્ઞાસાવશ ધર્મ એટલે શું?? એ જાણવા માટે google પર search કર્યું. ને ધર્મ વિશે ઘણી બધી વાતો જાણી અને સમજી. 

ધર્મ વિશે જે કાંઈ google પર વાંચ્યું એ,  આ પ્રમાણે છે. 

ધર્મ નો dictionary meaning છે,

1) ईश्वरीय श्रद्धा व पूजा पाठ, ईश्वरीय उपासना, आराधना आदि।
2) लौकिक एवं सामाजिक कर्तव्य।

धर्म का अर्थ क्या है?
-------------------------- 
साधारण शब्दों में धर्म के बहुत से अर्थ हैं जिनमें से कुछ ये हैं- कर्तव्य, अहिंसा, न्याय, सदाचरण, सद्-गुण आदि। धर्म का शाब्दिक अर्थ होता है, 'धारण करने योग्य' सबसे उचित धारणा, अर्थात जिसे सबको धारण करना चाहिए, यह मानवधर्म हैं। "धर्म" एक परम्परा के मानने वालों का समूह है। ऐसा माना जाता है कि धर्म मानव को मानव बनाता है।

धर्म का आधार क्या है?
-----------------------------
धर्म के पांच आधार है ज्ञान, प्रेम, न्याय, समर्पण और धीरज।
प्रत्येक मनुष्य का जन्म इन 5 आधारों को प्राप्त करने के लिए होता है।

धर्म हमें क्या सिखाता है?
--------------------------------
धर्म हमें जीने का तरीका सिखाता है। हम कैसे जीते है, कैसे खाते हैं, क्या खाते हैं, क्या सोचते है और कैसे सोचते है , ये सब हमारे धर्म पर निर्भर करता है। धर्म हमें विश्वास करना सिखाता है। धर्म हमें सबसे पहले संस्कार सीखाता है।                              अहिंसा, क्षमा, सत्य, लज्जा, श्रद्धा, इंद्रियसंयम, दान, यज्ञ, तप और ध्यान – ये दस धर्म के साधन है ।                       

गीता के अनुसार धर्म क्या है  ?
-------------------------------------
 धर्म वोह है जो किसी वस्तु का अस्तित्व प्रकट करता है । 
धर्म का अर्थ केवल साधुता या नैतिकता नहीं है किंतु अपने सच्चे स्वरूप को पहचान उसी के अनुरूप कार्य करना है ।
जैसे सूर्य का धर्म प्रकाश है अग्नि का धर्म उष्णता है । 

ટૂંક માં  સમજીએ તો
ધર્મ એક સાચી માન્યતા છે, 
ધર્મ એક સાચો વ્યવ્હાર છે.
ધર્મ જીવન જીવવા ની સાચી રીત છે.
ધર્મ એક સાચી વિચારધારા છે. 
(દાખલા તરીકે હિન્દૂ, ઇસ્લામિક, ખ્રિસ્તી જૈન, બૌદ્ધ વિચારધારા....વિગેરે) આ બધી વિચારધારા નો એક જ સંદેશ છે....

"ધર્મ નૈતિકતા છે. ધર્મ કર્તવ્ય છે.
ધર્મ ત્યાગ છે, સમર્પણ છે, શાંતતા છે.
ધર્મ એકતા ને અખંડતાં માં છે." 

ધર્મ આપણને સારા અને ખરાબ ની સમજ આપે છે, નૈતિક મૂલ્યો શીખવાડે છે, સચ્ચાઈ નો રસ્તો બતાડે છે. 

જો ઈશ્વરીય પૂજાપાઠ કરીએ પણ પોતાનો ધર્મ (કર્તવ્ય અને નૈતિકતા)ને  ભૂલી જઈએ.... તો એને આપણે સાચો  ધર્મ કહી શકીએ?? 'ના'.. કયારેય નહીં. 

જ્યારે ધર્મ ના નામે દંગા, હિંસા, વાદ-વિવાદ, ઉશ્કેરાટ થતો જોઈએ છીએ, ત્યારે ખૂબ દુઃખ થાય છે. 

લોકો જાણે છે કે સાચો ધર્મ શું છે?

પણ જ્યારે ધર્મ નું પાલન કરવાનો વારો આવે ત્યારે કેમ લોકો પોતાનો ધર્મ ચુકે છે? 

માનવ છીએ, માનવતા નો ધર્મ, કેમ લોકો ચુકે છે?.. 
ભાઈચારા નો ધર્મ  કેમ ચુકે છે?.......
અહિંસા નો ધર્મ કેમ ચુકે છે?      
પ્રેમ, સમર્પણ નો ધર્મ  કેમ લોકો ચુકે છે?          
 
"मज़हब नहीं सिखाता, आपस में बैर रखना।
हिन्दी हैं हम वतन हैं, हिन्दुस्ताँ हमारा, हमारा।।

सारे जहाँ से अच्छा हिन्दुस्ताँ हमारा,
हुम बुलबुले है इसकी, ये गुलिस्ताँ हमारा!!"

આ ગીત ની પંક્તિઓ ને કેમ ચુકે છે??

Thanks.

જયહિંદ, જય ભારત!🙏

#જાગૃતિ
#JAGRUTI
#religion #ધર્મ
#peace #શાંતિ
#unity #એકતા
#brotherhood #ભાઈચારો
#morals #નૈતિકતા

Tuesday, March 8, 2022

આજ ની AWAKENED અને POWERFUL સ્ત્રી

આજે Woman's day ના બધી જ સ્ત્રીઓ ને મારા તરફ થી ખૂબ ખૂબ  શુભેચ્છાઓ! Wish you all a very Happy Womens' day!! 💐🎂

ઘણા વર્ષો સુધી આપણે woman's day ના woman empowerment ની વાતો કરી, સ્ત્રી સશીકતીકરણ ના programms જોયા, લેખ વાંચ્યા, ઘણી બધી iconic સ્ત્રીઓ ની જીવન કથાઓ ના ઉદાહરણ જોયા. એમની achievements ને આપણે વખાણી, બિરદાવી....ઘણી બધી  successful સ્ત્રીઓ આપણી માટે role મોડેલ પણ બની....વિગેરે, વિગેરે....
પણ,
આજે આપણે વાત કરીશું, આજ ના નવ યુગ ની યુવા પેઢી ની, આજ ની young girlsની.....જેમણે પોતાના સામર્થ્ય અને hardwork થી પોતાના જીવન માં અને દયેય માં ઘણી બધી આગળ નીકળી ગયી છે,....fighter plane ની પાયલોટ હોય કે politician, scientist હોય કે engineer,  ડૉક્ટર  હોય  કે  પ્રોફેસર, police inspector હોય કે ઓફિસર  બધા જ ક્ષેત્ર માં પોતાની છાપ પાડી રહી છે.....

ફક્ત career માં જ નહીં, આજ ની young girls, પોતાના વિચારો ને સિદ્ધાંતો માં પણ આગળ નીકળી ગયી છે. 
હવે એ ગઇ કાલ ની compromised સહનશીલ સ્ત્રી નથી રહી,
પોતાના હક્કો ની માટે જાગૃત થઇ ગયી છે. . આર્થિક રીતે independant ને સધ્ધર રહેવા માંગે છે.
2 digit (more than 10 lakhs ) નો પગાર ના થાય ત્યાં સુધી પરણવાની  'હા' પણ નથી પાડતી. 
જબરદસ્તી નું કોઈ બંધન તેને પસંદ નથી. આઝાદ, મુક્ત વિચારો libertinism માં માનવા લાગી છે....
રમત ગમત હોય કે business, પુરુષો ને હંફાવતી નજરે પડે છે....
પુરુષ સમોવડી થયી ને ઉભી છે. 

ધીરે ધીરે... પણ ઘણો મોટો બદલાવ આજ ની young પેઢી ની girls માં જોવા મળી રહ્યો છે.....
આ બદલાવ સારો છે કે ખરાબ? એ જાત ના કોઈ પણ conclusion પર આવતા પેહલા.....એક વખત એ વાત પર જરૂર વિચારજો કે આ બદલાવ આવ્યો શું કામ? 

ધ્યાન થી વિચારીશું તો જવાબ મળી જશે,
કારણકે, અતીત માંથી આજ જન્મે છે, ને આજ માં થી ભવિષ્ય!!

ભારત ની સ્ત્રીઓ ના જીવન ની ગઈ કાલ  તમને ખબર છે,
આજ તમે નજરે જુઓ છો.
અને ભવિષ્ય ની આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ.

ફક્ત એક જ વસ્તુ ની આપણે કાળજી રાખવા ની છે કે
સ્ત્રીઓ ને પોતે સ્ત્રી હોવા માટે માન રહે, અભિમાન રહે, એના સ્ત્રીત્વ પર કોઈ આંચ ના આવે. 

બાકી,
પરિવર્તન અને બદલાવ એ તો સંસાર નો નિયમ છે! આવી ને રહેશે જ!

આજ ની awakened and powerful સ્ત્રી ને  women's day નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ!💐💐

Love you all!!

Dedicating this post to all the awakened and powerful women and girls of today's generation!👍👍❤️❤️

Waiting for your encouraging comments and feedback.
Thanks. 
- Homeopath Dr. Neeta Thakkar
To consult, call me on 8779506847

આવા જ બીજા articles વાંચવા, Follow me, on https://drneetathakkar.blogspot.com/
Please do share with your family and friends.

#Awakenedwoman
#happywomean'sday
#womensdayspecial
#womensday #women #internationalwomensday #womenempowerment #womensupportingwomen #womenpower #womeninbusiness #girlpower #feminism #love #womenstyle #woman #fashion #iwd #march #strongwomen #womenempoweringwomen #motivation #inspiration #happywomensday #womensmarch #womeninspiringwomen 


Sunday, February 13, 2022

Valentine's Day🌹❤️💞





14thFebruary - A Valentine's Day!🌹
"Will you be my valentine?"🌹...આ question, ના જાણે કેટલા પ્રેમીઓ એકબીજા ને આ દિવસે પૂછશે....ને પ્રેમ નો સંકેત આપતા કહેશે,
" I Love you!!!"❤️💖💕

પ્રેમ નો એકરાર કરવાની આ રીત ખરેખર સરસ છે. વર્ષ માં જો એકવાર પણ આપણે આપણા પ્રિય વ્યક્તિને એક વખત પણ "I love you" કહેતો પ્રેમ સંદેશ મોકલાવીએ તો એ વ્યક્તિની માટે એ એક અમૂલ્ય ભેટ બની જશે,  પણ, શું આપણે આમ કરીએ છીએ?? - ......usually નહીં!!

કેમ , નહીં?? 

પ્રેમ વ્યક્ત કરતા આપણને આવડતું નથી કે પ્રેમ વ્યક્ત કરતા શરમ આવે છે??

શામાટે પ્રેમ વ્યક્ત કરવા માટે આ ખીચકાટ છે???..... આપણે એવી ભૌતિક દુનીયામાં જીવી રહ્યા છે જ્યાં બધી ભાવના ઓ, જેમ કે ગુસ્સો, નફરત, ઈર્ષા, સ્વાર્થ, વિગેરે, unknowingly વ્યક્ત કરીએ છીએ, પણ પ્રેમ વ્યક્ત કરવા માટે ક્ષોભ અનુભવીએ છીએ......દૂર, દૂર ક્યાંક આપણે એમ માનતા શીખી ગયા છે કે પ્રેમ વ્યક્ત કરવો એ મારા સ્વાભિમાન ની વિરુદ્ધ છે.....હું શું એટલો કમજોર વ્યક્તિ છું કે મને કોઈના પ્રેમ ની જરૂર પડે?  ....કે 

કદાચ એ પણ ડર હોય કે, સામેવાળો વ્યક્તિ મારા પર હસશે તો???...There is a fear of being rejected or laughed at..........

આવા બધા ઘણા કારણો પાછળ આપણે પ્રેમ express કરાતો નથી તો ક્યારેક વ્યક્ત કરવા માટે સાચો સમય કે ઘડી મળતી નથી.....

કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરે એ ગમે છે, પણ આપણે પણ કોઈ ને પ્રેમ ની અનુભૂતિ કરાવી શકીએ એની માટે કોઈ પહેલ કરતું નથી......ને આમ કરતા કરતા "પ્રેમ " ની આપણા જીવન માંથી બાદબાકી થતી ગયી.....આ જ કારણ છે કે આજ કાલ frustration, depression, suicide, feeling of being neglected, anger, irritability, jealousy, obsession, hatredness.....ના કિસ્સાઓ વધતા જાય છે....

Every person has a basic need of being loved or to love someone... પણ આપણે આ જરૂરિયાત ને નજરઅંદાજ કરી ને બીજા બધા સુખો પાછળ દોડીએ છીએ....

નો જો આમ જ ચાલતું રહેશે તો એના માઠાં પરિણામો ભોગવતા રેહેશું!

So never be late before it becomes too late...

Lets express our love to our beloved person, .....who can be anyone, your wife, your parents, your children, your friend, your sibling.....etc.....

EXPRESS YOUR LOVE TODAY, tomorrow, ...always.... as and when needed..... Don't hesitate to say, " I LOVE YOU" to your near and dear ones!!"💓......

It means a lot !!💖

👍👍

Love you all!!💞

HAPPY VALENTINES DAY!❤️❤️

Thank you.


- HOMEOPATH Dr. Neeta Thakkar🙏

Mob. 9969397348

Follow me on

https://www.facebook.com/share/1BTJ8apG3b/

drneetathakkar.blogspot.com

#JivanJagruti


Monday, September 13, 2021

IMMUNITY LESSONS



આજે આપણા જીવન વિશે એક અલગ રીત નું વિશ્લેષણ તમારી સમક્ષ મુકું છુ. આશા છે મારા વિચારો ને સારો પ્રતિસાદ મળશે.

કહે છે કે જીવન એક નિશાળ છે. રોજ અલગ અલગ પાઠ ભણાવે છે. ક્યારેક તો એવું પણ થાય છે કે, પેહલા જીવન ની પરીક્ષા આપીએ  છીએ ને પછી તેમાંથી પાઠ ભણીએ છીએ.

કોવિડ નો સમય, પણ એવોજ એક પરીક્ષા નો સમય હતો.....જીવન ના ઘણા બધા પાઠ શીખવાડી ગયો.... એ બધા પાઠ માં થી એક સૌથી important પાઠ એટલે કે આપણને  IMMUNITY ની સાચી સમજ મળી અને તેની કદર કરતા થઈ ગયા...જેમની immunity strong હતી, એનો કોરોના થી વાળ પણ વાંકો નહીં થયો, પણ જેમની immunity weak હતી, એને કોરોના ની અસર થયી. 
તો ચાલો આજે આપણે સમજીએ immunity માથી આપણે ને જીવન ના ક્યાં પાઠ શીખવા મળે છે???

Lessons to be learnt from 
*IMMUNITY /પ્રતિકારશક્તિ*: 
(part - i)
🛡️⚔️🛡️⚔️🛡️⚔️🛡️

💠Immunity એટલે કે પ્રતિકાર શક્તિ, ......
પછી એ રોગ સામે હોય કે,
અન્યાય સામે, 
હાલાત સામે ......હોય કે
pathogen સામે,......  વાયરસ સામે હોય  કે પછી પ્રતિકૂળ સંજોગો સામે...

માણસ માં પ્રતિકાર શક્તિ/ immunity
હોવી જરૂરી છે..   જો  Immunity weak હોય તો,  માણસ રોગો સામે નથી લડી શકતો....
તેમ, જો માણસ mentally weak હોય તો પ્રતિકુળ સંજોગો સામે પણ નથી લડી શકતો.😊

💠 *શારીરિક ને માનસિક રીતે strong હોવું જરૂરી છે*..... 

💠Immunity નો બીજો એક અર્થ એ પણ થાય છે,
Immunity એટલે લડવા ની ક્ષમતા, પ્રતિરક્ષા ની ક્ષમતા ......

જો તમારામાં ખોટા સામે લડવા ની શક્તિ ના હોય તો શું થાય?? એ તો તમે સમજી જ શકો છો..... ઘણા એ તો  એ અનુભવ્યું પણ હશે.....જીવન માં ક્યારેક ને ક્યારેક તો ખોટા સામે કે 
અન્યાય સામે લડવું તો પડે જ છે....ફક્ત એટલું ધ્યાન રાખવું કે 

💠Immunity ....સ્વરક્ષા માટે હોવી જોઈએ, .....નહીં કે કોઈ ને નુકસાન પહોંચાડવા માટે.... 

💠ઘણી વખત, immnunity ને self અને non self નું ધ્યાન ના રહે તો પછી એ autoimmune disease પણ ઉતપન્ન કરી શકે છે, .....જ્યાં શરીર  પોતાના જ cells, ને ઓળખવા માં ભૂલ કરી ને, એને antigens સમજી  એની against antibodies બનાવા લાગે છે.....ત્યારે આવી immunity harmful સાબિત થાય છે.....
    
એ જ રીતે, 

આપણે પણ ક્યાંક આપણા પોતાના સંબંધો માં તો એવી ભૂલ નથી કરતા ને?.... છે......ક્યાંક આપણે પણ પેલા autoimmunty ની જેમ પોતાના લોકો ને તો વાર નથી કરતા ને? .....

ઘણી વાર આપણે બહાર ના લોકો ને બદલે પોતાના લોકો ને નુકસાન પોહચાડતા હોઈએ છીએ ને આપણને ખબર પણ નથી હોતી....એક જ family માં એક જ છત ની નીચે, કેટલા બધા કાવા દાવા, કડવાશ, ઝગડા, કંકાસ જોવા મળે છે.....શું આપણે એને પારિવારિક autoimmune disease    ના કહી શકીએ???....

એ તો છોડો, 

ક્યારેક, આપણે પોતાની જાત ને પણ torture કરતા હોઈએ છીએ....
પોતાની પાસે થી વધુ પડતી અપેક્ષાઓ રાખવી, 
પોતાને કોષવું, કોઈ ભૂલ માટે જરૂરત કરતા વધુ regret કરવું, પોતાને
self devaluate કરવું...
self blame, self reproach, કરવું... 
આવા બધા લક્ષણો પણ જીવન માં ક્યારેક auto immune disease ની જેમ વર્તે છે...

💠Immunity એક વાત એ પણ શીખવાડે છે કે... ..તમે સ્વહિત માટે લડો.....પણ કેટલું?????.....જેટલું વ્યાજબી હોય....🤗 

ક્યારેક લડતાં લડતાં એટલા બાજી ના પડીએ કે....cytokine storm આવી જાય.....જો storm આવે તો પછી તબાહી તો મચાવાનો જ છે....એમાં કોણ બચશે ને કોણ નહીં, કાંઈ કહેવાય નહીં.....(I hope.....cytokine storm વિશે બધા ને જાણ  હશે જ.....😊)

💠કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રતિકાર શક્તિ (immunity) .. એ પોતાની રક્ષા માટે કુદરતે આપેલી ઢાલ છે....એનો સહી સમયે સહી ઉપયોગ થવો જરૂરી છે....

💠 પ્રતિરક્ષા પોતાના બચાવ માટે છે 👍... 
નહીં તો,
જેમ વાયરસ તમારા cells માં આવી ને નુકસાન પહોંચાડે  છે... તેમ વિપરીત પરિસ્થિતિઓ કે વિપરીત  સંજોગો, આપણા જીવન માં આવી ને ઘણું નુકસાન કરી શકે છે....આની સામે તમારી પાસે પ્રતિકાર કરવાની શક્તિ હોવી જરૂરી છે....Self protection against anything evil is must!👍👍

માટે જ કહું છું.....

Immunity વધારવા માટે.. .  
યોગ કરો, કાઢા પીઓ, vitc, d ને ઝીંક લો, 
કે પછી, immunity booster
હોમીઓપેથીક દવા લો,.....

💠  દરરેક પાસે પ્રમાણ સર IMMUNITY (પ્રતિકાર શક્તિ)હોવી જોઈએ.....
ना कम ना ज्यादा!!😃
💪💪✌️🤞🤘

Let's be strong, physically and mentally both!👍✌️

धन्यवाद!

Dr. Neeta Thakkar.
Consulting Homeopath
Mob : 8779506847

(આશા છે, લેખ પસંદ પડ્યો હશે! બીજા ને share જરૂર કરજો.👍)

Sunday, August 15, 2021

खुद की गुलामी से आजादी


Sharing my thoughts on,

One more aspect of Indepence and Azadi from Gulami!....hope you will like it.😊

खुद के गुलाम
***************
क्या हम अपनी लालच, सत्ता, अभिमान के गुलाम नहीं?

क्या हम अपने ऐश आराम, सफलता, अपनी जिद के गुलाम नहीं?

क्या हम अपने मान सम्मान, कीर्ति के गुलाम नहीं?

कब तक हम खुद के गुलाम बने रहेंगे?

कब तक हम अपने स्वार्थ, फायदे, और नुकसान के बारे मे ही सोचते रहेंगे? 

जब तक हम इन सब चीजों से आजादी नहीं पाएंगे, तब तक अपने आप के गुलाम ही बने रहेंगें।

जब खुद की गुलामी छोड़ेंगे तब ही दूसरों के बारे में, देशहित के बारे में सोच पाएँगे।

अगर ये सोच देश के हर नागरिक, मंत्री से लेके तंत्री तक, मैनेजर से लेकर एम्प्लोयी तक, बच्चों से लेकर बड़ों तक पहुँचेगी, तब ही, हम आगे बढ़े हुए कहलायेंगे और अपनी आजादी का जशन मनाने के हकदार होंगें।

तो,

चलो आज मनाये,
स्वत्रंता दिवस खुद के लिये, खुद की ही गुलामी से आजादी पाएं 
और 
स्वहित को छोड़कर दूसरों के हित के बारे में सोचना हम शुरू करें। 

धन्यवाद!

जयहिंद!🙏

Happy Independence Day to all of us!!💐💐

 - Dr. Neeta Thakkar
#Happyindependencedayindia2021
#independenceday
#आजादी, #गुलामी #स्वतंत्रता

Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...