મિત્રો,
જોયું ને જીવન માં કેટલી અનિશ્ચિતતા છે.
પહેલગામ attack, પછી અમદાવાદ, plane crash આ બંને દુર્ઘટના એ આપણા બધા ના જીવન ને કેટલું બધું હલાવી મૂક્યું છે.
કાલે શું થશે કે હમણાં 2 મિનિટ માં શું થશે? એ વાત ની કોઈ પણ કલ્પના વગર આપણે દિવસ ની શુરુઆત કરીએ છીએ, સાથે કેટલા બધા આવતી કાલ ના પ્લાનિંગ, મહિનાઓ પછી ના goals, વર્ષો પછી ના સપનાઓ ને સાકાર કરવા આપણે રોજ ઘર ની બહાર નીકળીએ છીએ, અને પળ માં બધા calculation ચૂકી જઈ જિંદગી આપણને બીજા કોઈ રસ્તા પર જ ફંટાવી દે છે.....ફરી પાછી એ નવા ફંટાયેલા રસ્તા પર ગમા કે અણગમા વગર ફરી થી ચાલવું, પ્લાનિંગ કરવું ને આગળ વધવું....બસ આજ જીવન નો ચક્ર છે.....
અનિશ્ચિતતા માં નિશ્ચિતતા લાવી ને જીવવું, એ જ કળા આપણે બધા એ કેળવવા ની છે.
કોઈ દુઃખદ દુર્ઘટના આપણા જીવનની ગતિ માં brake લગાવી શકે છે, સ્પીડ ઘટાવી શકે છે પણ આગળ વધતાં નહીં રોકી શકે.....આ વાત જો સમજી જશું તો જીવન વધુ acceptable બનશે. પણ થંભી જશું તો અટકી જશું , જીવન ની ગતિ રોકાઈ જશે.
જીવન માં દુર્ઘટનાઓ આવે જ એટલા માટે કે તમને કાઈ ને કાંઈ શીખવતી જાય અને વધુ ને વધુ પરિપક્વ બનાવતી જાય.
જેઓ એ નજીક થી દુર્ઘટનાઓ ને જોઈ છે, અનુભવી છે, એમને તો move on કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે પણ સમય ધીરે ધીરે બધું જ સહન કરતા શીખવી દે છે ને ફરી પાછા તેમને જીવન ના પ્રવાહ માં ધકેલી દે છે.......આજ તો છે જીવન ની સચ્ચાઈ, અનિશ્ચિતતા માં નિશ્ચિતતા સાથે જીવવું.જો ચાલતા રહીશું તો જીવન ની પ્રતીતિ થતી રહેશે પણ જો અટકી જશું તો જીવન ને પુર્ણવિરામ તરફ ધકેલી દેશું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આપણે જોયું કે, plane crash થયું તો કોઈ પણ માથે હાથ રાખી બેસી શક્યું,? ના!!!
તરત જ સમાચાર સંસ્થા, રાહત સંસ્થા ના લોકો actively કામ કરવા લાગ્યા....બધાનો ધ્યેય એક જ હતો કે કેમ કરી ને પણ આ દુર્ઘટના માં થી થંભી ગયેલા જીવન ને બહાર કાઢીએ. એને સમયસર ચેતનવંતુ કરીએ.
Emergency ના ધોરણે સહાય નું કામ થવા લાગ્યું....જેની જ્યાં ફરજ હતી બધા j તાત્કાલિક ,આપાતકાલીન પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ થઈ કાર્યરત થઈ ગયા.
સમાચારો એ સમાચાર ફેલાવવા નું કામ કર્યું.
રાહત ટીમે રાહત અને મદદ પહોંચાડી
ડોકટરો ની ટીમ casuality હેન્ડલ કરવા લાગી
સ્નેહીજનો, સંબંધીઓ પોતાની રીતે પરિસ્થિતિ ને હેન્ડલ કરવા ની કોશિશ કરી.....પોલીસ પોતાની રીતે વ્યવસ્થા સંભાળવા લાગી, investigation bureau પોતાની કામગીરી પર લાગી ગયું.
ચારેબાજુ દોડધામ થઈ ગઈ,
રોકાયેલા, રૂંધાયેલા શ્વાસો ને ફરીથી જીવંત કરવાની દોડધામ.
તૂટેલા કાટમાળ માં થી બચેલી જિંદગી ને ગોતવાની દોડધામ,
રૂંધાયેલા રુદન ને આધાર આપવા ની દોડધામ,
વિખરાયેલા અસ્તવ્યસ્ત થયેલા જીવન ને ફરી થી વ્યવસ્થિત કરવાની દોડધામ.
ક્યાંય કોઈ થંભી ગયું? ના!
ક્યાંય કોઈ રોકાઈ ગયું? ના!
ક્યાંય કોઈ અટવાઈ ગયું? ના!
બસ આજ સત્ય છે અનિશ્ચિતતા માં નિશ્ચિતતા ને ટકાવી રાખવું એ જ જીવન નુ સત્ય છે.
આશા છે જીવનના આ સંદેશ ને તમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડશો અને ઘણા રોકાઈ ગયેલા જીવન ને ફરી થી ગતિ તરફ પ્રેરિત કરીશું
Thank you,
Dr. Neeta.
#JivanJagruti #જીવનસંદેશ #અનિશ્ચિતતામાંનિશ્ચિતતા #KeepMoving #HopeAndHealing
#ahmedabadplanecrash
Please do Follow my fb page JivanJagruti by Dr. Neeta Thakkar
https://www.facebook.com/share/19EFrdj8c3/
No comments:
Post a Comment