Thursday, December 18, 2025

મામેરું

મામેરું!
જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે.
I hope, 
તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ હશે, કે કેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ, જાતે નરસિંહ મેહતા ની દીકરી નું મામેરું પૂરું પાડ્યું હતું....અહીં ભગવાને ભક્ત ની લાજ તો રાખી દીધી પણ એક વાત વિચારવા જેવી છે કે, 
શું કામ કૃષ્ણ ને આવવું પડ્યું પોતાના ભક્ત ની લાજ રાખવા માટે?  
શા માટે મામા એ ભભકેદાર મામેરું જ આપવું જોઈએ એવી અપેક્ષા સમાજ રાખે છે કે વિચારે છે? 
શામાટે કુંવરબાઇ ને નીચું જોવા જેવું થવું જોઈએ? 
શા માટે નરસિંહ મેહતા ને સામાજિક pressure હેઠળ કે મામા ની નિંદા ના થાય એની માટે ભગવાન ને પ્રાર્થના કરવાની જરૂર પડી?
આજ રીતે,
ઘણી સ્ટોરી અને વાતો પણ આપણે સાંભળી છે કે મામેરું જો ઓછું વધુ હોય તો એના વિશે વાતો થાય છે. બહેન ને સાસરા માં નીચું જોવા જેવું થાય છે.. કદાચ ક્યાંક આવી ઘટના બની પણ હશે, અને લોકો એ  એનો વિરોધ પણ કર્યો છે , સામાજિક જાગૃતતા પણ આવી છે સંકુચિત માનસિકતા ઓછી પણ થઈ છે....
પણ,
એક વિચાર મન માં આવે છે કે
સમાજ ના લોકો શા માટે કોઈ પ્રથા નું વ્યવહાર ની રીતે મૂલ્યાંકન કરે છે? 
શું કોઈ પ્રથા ને આપણે સહજ રીતે નિભાવી ના શકીએ? એનું મૂલ્યાંકન શા માટે થવું જોઈએ?
અને જો મૂલ્યાંકન કરવું જ હોય તો,
આ પ્રથા પાછળ નો શું ઉદ્દેશ હશે એનું મૂલ્યાંકન થવું જોઈએ અને જરૂર લાગે તો પ્રસંગોપાત ફેરફાર પણ થવા જોઈએ.

આજે આપણે વાત કુંવર બાઈ ના મામેરા ની નથી કરવી પણ વાત કરવી છે, 
 'મામેરા' પ્રથા ની!
આપણે આ પ્રથા ને કઈ રીતે જોઈએ છે?
એક વ્યવહાર તરીકે, 
સ્ટેટ્સ તરીકે? 
કે
એના પાછળ છુપાયેલા પ્રેમ રૂપી ઉપહાર ની રીતે? 

મારા માટે "મામેરા" ને જો પ્રથા ની જેમ જોઈશું તો તેમાં ઘણા ઊંચા નીચા મૂલ્યાંકન થશે,
પણ
એક મોસાળ(મામા) તરફ થી પોતાની ભાણેજી અને બહેન ને "પ્રેમ રૂપી ભેટ" ની રૂપે જોઈશું તો ક્યારેય પણ એનું મૂલ્યાંકન નહીં થાય કે થશે, કારણકે પ્રેમ અમૂલ્ય હોય છે એનું કોઈ માપ દંડ ના હોય.
પ્રેમ પ્રેમ હોય છે, તમે એને ભેટ રૂપે આપો કે વ્હાલ રૂપી આપો, એનું મહત્વ એટલું જ રહે છે ક્યારેય ઓછું નથી થતું.

બહેન ના ઘરે એના લાડકા દીકરા કે દીકરી ના લગ્ન હોય અને મામા ખાલી હાથ જાય એ તો શક્ય જ નથી, પણ એની યથાશકિત પ્રમાણે જે પણ ભેટ પોતાની બહેન અને લાડકા ભાણેજા અને ભાણેજી માટે આપે એને સહર્ષ સ્વીકારવા માં આવે, 
વધાવવા માં આવે તો બંને પક્ષે 
પ્રેમ ની આપ લે થઈ જાય છે અને પ્રસંગ ની ગરિમા પણ જળવાઈ જાય છે.

આપણી હિન્દુ સંસ્કૃતિ ની જેટલી પણ પ્રથાઓ છે એની પાછળ કોઈ સારો ઉદ્દેશ અને સામાજિક સંદેશ છુપાયેલો રહેલો હોય છે,
પણ 
આપણે જ આપણી અજ્ઞાનતા ન લીધે પ્રથાઓ ને વ્યવહાર ની રીતે થોપી બેસાડતા હોઈએ છીએ અને blindly follow પણ  કરતા હોઈએ છીએ.

જો જોવાનો દ્રષ્ટિકોણ બદલશું તો અર્થ પણ બદલશે...માટે કોઈ પણ પ્રથા ને સમજી વિચારી ને અવલોકન અને અનુકરણ કરવું હિતાવહ છે, નહીં કે સ્ટેટ્સ show કરવા માટે કે blindly follow કરવા માટે.

Jivanjagruti સંદેશ તરીકે આને આપણે,
આપણી પોતાની સમજ ના સ્વ મૂલ્યાંકન ની રીતે જોઈશું તો એનું વધુ સારું પરિણામ જોવા મળશે.

આજે હું સહર્ષ રીતે Todai પરિવાર ની આભારી છું કે એમણે અમારી ભાણેજી પરીતા ના લગ્ન પ્રસંગે આપેલા અમારા મામેરા નો સહર્ષ સ્વીકાર કર્યો અને પ્રેમ રૂપી ભેટ ને પ્રેમ થી વધાવ્યો. 
ખાનદાની પરિવાર ની આ નિશાની છે.
અને મને આનંદ છે કે આવા ઘણા ખાનદાની પરિવારો આપણા સમાજ માં છે કે જેઓ બહુ સારું ઉદાહરણ પૂરું પાડે છે
કે
પ્રથા કરતાં પ્રેમ ને મહત્વ આપવું.
વ્યવહાર કરતા પ્રસંગની ગરિમા 
ને મહત્વ આપવું.
કોઈ ખોટો દંભ નહીં કે કોઈ ખોટી સરખામણી નહીં
ફક્ત પ્રેમ અને સંસ્કારો ની આપ લે થાય એ જ છે સાચી પ્રથા !
જો આટલી જ વાત સમાજ ના બધા પરિવાર ને સમજાઈ જાય તો કોઈ પણ પ્રસંગ એની પારંપરિક પ્રથા અનુસાર ઉજવવા ની એક અલગ જ મઝા આવશે.

Thank you 
Dr. Neeta. 

Saturday, June 21, 2025

અનિશ્ચિતતા માં નિશ્ચિતતા કેવી રીતે લાવવી?

જીવન જાગૃતિ, (a journey to conscious living with self awakening) ના માધ્યમ થી અમદાવાદ plane crash ની દુર્ઘટના માં થી મને મળેલો જીવનનો message આજે તમારી સાથે શેર કરું છું.

મિત્રો,
જોયું ને જીવન માં કેટલી અનિશ્ચિતતા છે.
પહેલગામ attack, પછી અમદાવાદ, plane crash આ બંને દુર્ઘટના એ આપણા બધા ના જીવન ને કેટલું બધું  હલાવી મૂક્યું છે.
કાલે શું થશે કે હમણાં 2 મિનિટ માં શું થશે? એ વાત ની કોઈ પણ કલ્પના વગર આપણે દિવસ ની શુરુઆત કરીએ છીએ, સાથે કેટલા બધા આવતી કાલ ના પ્લાનિંગ, મહિનાઓ પછી ના goals, વર્ષો પછી ના સપનાઓ ને સાકાર કરવા આપણે રોજ ઘર ની બહાર નીકળીએ છીએ, અને પળ માં બધા calculation ચૂકી જઈ જિંદગી આપણને બીજા કોઈ રસ્તા પર જ ફંટાવી દે છે.....ફરી પાછી એ નવા ફંટાયેલા રસ્તા પર ગમા કે અણગમા વગર ફરી થી ચાલવું, પ્લાનિંગ કરવું ને આગળ વધવું....બસ આજ જીવન નો ચક્ર છે.....
અનિશ્ચિતતા માં નિશ્ચિતતા લાવી ને જીવવું, એ જ કળા આપણે બધા એ કેળવવા ની છે.
કોઈ દુઃખદ દુર્ઘટના આપણા જીવનની ગતિ માં brake લગાવી શકે છે, સ્પીડ ઘટાવી શકે છે પણ આગળ વધતાં નહીં રોકી શકે.....આ વાત જો સમજી જશું તો જીવન વધુ acceptable બનશે. પણ થંભી જશું તો અટકી જશું , જીવન ની ગતિ રોકાઈ જશે.

જીવન માં દુર્ઘટનાઓ આવે જ એટલા માટે કે તમને કાઈ ને કાંઈ શીખવતી જાય અને વધુ ને વધુ પરિપક્વ બનાવતી જાય.

જેઓ એ નજીક થી દુર્ઘટનાઓ ને જોઈ છે, અનુભવી છે, એમને તો move on કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે પણ સમય ધીરે ધીરે બધું જ સહન કરતા શીખવી દે છે ને ફરી પાછા તેમને જીવન ના પ્રવાહ માં  ધકેલી દે છે.......આજ તો છે જીવન ની સચ્ચાઈ, અનિશ્ચિતતા માં નિશ્ચિતતા સાથે જીવવું.જો ચાલતા રહીશું તો જીવન ની પ્રતીતિ થતી રહેશે પણ જો અટકી જશું તો જીવન ને પુર્ણવિરામ તરફ ધકેલી દેશું.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આપણે જોયું કે, plane crash થયું તો કોઈ પણ માથે હાથ રાખી બેસી શક્યું,? ના!!!

તરત જ સમાચાર સંસ્થા, રાહત સંસ્થા ના લોકો actively કામ કરવા લાગ્યા....બધાનો ધ્યેય એક જ હતો કે કેમ કરી ને પણ આ દુર્ઘટના માં થી થંભી ગયેલા જીવન ને બહાર કાઢીએ. એને સમયસર ચેતનવંતુ કરીએ.
Emergency ના ધોરણે સહાય નું કામ થવા લાગ્યું....જેની જ્યાં ફરજ હતી બધા j તાત્કાલિક ,આપાતકાલીન પરિસ્થિતિ  ને પહોંચી વળવા સજ્જ થઈ કાર્યરત થઈ ગયા.
સમાચારો એ સમાચાર ફેલાવવા નું કામ કર્યું.
રાહત ટીમે રાહત અને મદદ પહોંચાડી
ડોકટરો ની ટીમ casuality હેન્ડલ કરવા લાગી
સ્નેહીજનો, સંબંધીઓ પોતાની રીતે પરિસ્થિતિ ને હેન્ડલ કરવા ની કોશિશ કરી.....પોલીસ પોતાની રીતે વ્યવસ્થા સંભાળવા લાગી, investigation bureau પોતાની કામગીરી પર લાગી ગયું.
ચારેબાજુ દોડધામ થઈ ગઈ,
રોકાયેલા, રૂંધાયેલા  શ્વાસો ને ફરીથી જીવંત કરવાની દોડધામ.
તૂટેલા કાટમાળ માં થી બચેલી જિંદગી ને ગોતવાની દોડધામ,
રૂંધાયેલા રુદન ને આધાર આપવા ની દોડધામ,
વિખરાયેલા અસ્તવ્યસ્ત થયેલા જીવન ને ફરી થી વ્યવસ્થિત કરવાની દોડધામ.
ક્યાંય કોઈ થંભી ગયું? ના!
ક્યાંય કોઈ રોકાઈ ગયું? ના!
ક્યાંય કોઈ અટવાઈ ગયું? ના!

બસ આજ સત્ય છે અનિશ્ચિતતા માં નિશ્ચિતતા ને ટકાવી રાખવું એ જ જીવન નુ સત્ય છે.

આશા છે જીવનના આ સંદેશ ને તમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડશો અને ઘણા રોકાઈ ગયેલા જીવન ને ફરી થી ગતિ તરફ પ્રેરિત કરીશું

Thank you,
Dr. Neeta.

#JivanJagruti #જીવનસંદેશ #અનિશ્ચિતતામાંનિશ્ચિતતા #KeepMoving #HopeAndHealing
#ahmedabadplanecrash

Please do Follow my fb page JivanJagruti by Dr. Neeta Thakkar

https://www.facebook.com/share/19EFrdj8c3/




Tuesday, June 17, 2025

Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glancing around, checking her watch every now and then. It seemed like she was waiting for someone. I spotted her from a distance, and my heart pulled me to meet her after so many years. They say the first neighbor is the closest! I was sure she would be happy to meet me, too. So, I quickly crossed the road and stood behind her, then asked, "How are you, Bakulaben? Who are you waiting for?"

Hearing my voice, she turned around and smiled with delight. "Oh, Nita Ben! How are you? It's been so many years!"

"Thank you, it's great to see you. I have some good news! Nikita's engagement is done! The wedding is after Diwali!"

I was so happy to hear that and congratulated her. I asked, "Who are you waiting for?"

She replied, "I'm waiting for Nikita. She will come here directly from her job. We need to buy things for the wedding."

I asked, "Why so soon? The wedding is still a while away—five or six months. Why don't you relax a bit?"

Bakulaben laughed and said, "There are so many preparations for the wedding, Nita Ben! We'll do them little by little, and everything will be ready on time. The first thing we did after the wedding date was book the hall. Otherwise, the good halls get booked quickly. Since our relatives are wealthy, they want a good hall with enough parking for the guests. Once the hall is booked, we will also need to book a beautician for the bride. If you know anyone, let me know. The famous ones charge a lot, at least 25,000. After that, we will look for jewelry, outfits, and so on. The days will pass by in no time, and we won't even realize it. Right now, we're only preparing for the engagement. It's a small function, with just close relatives."

She continued, "Even though we are doing small things, the budget keeps growing. This is the sale season, so we might get a few things cheaper. I’ve saved some money in Nikita’s name, and I’ve been buying gold for her since she was little, so I’m not too worried, but of course, there is some anxiety. This is our first big event, and nothing should go wrong! We need to be very careful about the new bride too."

She spoke all this in one breath, and I could see the clear anxiety on her face. I reassured her, "Don't worry, everything will fall into place."

(But in my mind, her words seemed so true, and I felt a little sad. How much planning parents have to do for just one day of their daughter’s wedding!)

Indeed, there are so many preparations for a wedding. From the band to the invitations, caterers, photographers, mehendi ceremony, musical evening, priests, decoration, menu for the food, reception venue, the bidai, honeymoon, and so on. The more we prepare, the less it feels. At the last moment, something always gets missed, and we end up running around!

It made me think: For just one day’s wedding, so much preparation goes into it, but what about the real preparation needed for a lifelong marriage?

Have we ever thought about preparing our son or daughter mentally for marriage? Have we considered whether they are truly ready to handle the responsibilities of family life, finances, and the balance between all these duties?

Are we prepared to let go of some of our attachments when our daughter goes to her in-laws? Are we, as parents, ready to adjust to a new daughter-in-law coming into our home?

These mental preparations for marriage are often overlooked. Once the wedding happens, then comes the real test. Expectations may or may not be fulfilled. What do we do when that happens? Have we thought about it?

The wedding is not just the union of two people but also of two families. To make it a joyful experience for life, both sides need to prepare thoroughly.

Just like pre-wedding photoshoots, there should also be pre-wedding counseling sessions for both families and the bride and groom. This could potentially prevent many engagements and marriages from falling apart. It’s a need for today’s times.

I hope that the representatives and elders of our society take note of this suggestion.

Thank you!

Weddings Are One Day—Marriage Is Forever: Emotional Planning for Marriage is must.

Disclaimer: The purpose of this article is only to raise social awareness. If anyone's thoughts are opposed or disagreed upon, I apologize.

Dr. Neeta @JivanJagruti

To read the next articles in this series, follow the link below: https://drneetathakkar.blogspot.com/ Please like, share, and comment!



#jivanJAGRUTI
#lifeawakening
#weddingpreparations
#musicnight
#mehendi
#indianmarriages
#weddingplanning
#weddingdecorations
#weddingreception
#mandapdecorations
#dulhanmakeup
#beautician
#weddingphotography

Saturday, June 14, 2025

"Certainty in the Midst of Uncertainty"

Through JivanJagruti, I wish to share a life message that deeply touched me after the recent Ahmedabad plane crash.

How do we find certainty in the midst of uncertainty?

Dear friends,
Life is so unpredictable. Just when we’re setting goals and planning months ahead, a single moment can change everything.
The Pahalgam attack and now this tragic plane crash in Ahmedabad have shaken us all, reminding us how fragile life really is.

Every morning, we step out with dreams, unaware of what the next hour holds. And then suddenly, life can take a turn we never imagined.
All calculations fail, and we’re forced to walk a new path — whether we like it or not. That’s the truth of life.

This is where we must learn the art of bringing certainty into uncertainty.

A tragedy may slow us down… but it must not stop us. If we understand this, life becomes more livable. But if we freeze in fear or grief, we push life toward a full stop.

Life’s tragedies don’t come to break us — they come to teach us, awaken us, and strengthen us.
Those who’ve experienced such incidents closely may find it harder to move on. But time, in its quiet way, helps us heal and return to the flow of life.

Let us remember — we cannot change the uncertainty of life, but we can keep moving through it.
Sometimes we’ll reach our goals, sometimes we won’t. But as long as we keep walking, we’re truly living.

Take the example of the Ahmedabad plane crash.
Did anyone just sit in helplessness, looking at it?
No.
News agencies started reporting.
Rescue teams acted immediately.
Doctors treated casualties.
Police and investigation units took over.
Families rushed to help.
Everyone had one shared aim —
To bring life back to life.

There was a race —
To revive struggling breaths,
To pull out survivors from the debris,
To comfort the grieving,
To restore what was shattered.

No one stopped. No one waited. No one gave up. All were rushing to help the suffered people.

And that, my friends, is what it means to find certainty in chaos.
This is life’s truth. Let’s learn from it. Let’s live by it.

🌱 If this message touched you, please share it.
Let’s inspire those who feel stuck… and gently help them move forward again — toward life, hope, and healing.

With love,
Dr. Neeta
#JivanJagruti #LifeLessons #CertaintyInUncertainty #KeepMoving #AwakenTogether

"When Life Shifts Without Warning"
"Living Through the Unexpected"
"The Silent Message from a Tragedy"
"Unshaken Spirit in Uncertain Times"
"From Chaos to Clarity – A Message of Life"
"Embracing Life Beyond the Unexpected"
"Reviving Life After the Crash – A Reflection"


Please do Follow my page JivanJagruti by Dr. Neeta Thakkar

https://www.facebook.com/share/19EFrdj8c3/



Tuesday, December 31, 2024

Embracing Change: A New year’s Reflection!💫✨


Did you notice?
between "Yesterday" and "today"—
so much has changed!
At the stroke of midnight:
- Time changed,
- The day changed,
- The date changed,
- The year changed,
In mere moments, the old year was gone, and the new year arrived!

Yet, amidst this whirlwind of change, some things remain constant:
"We, all of us."
The same thoughts, the same habits,
The same beliefs, and the same version of ourselves.

Over the years, What has truly changed?
Perhaps only our clothing, our food preferences,
And the outward appearances of our lifestyles.

But have we ever paused to truly question:
Have we updated our mindset?
Have we improved with our bad habits?
Have we refined our beliefs and thought process?

The arrival of a new year is not just a celebration; it is a reminder, a call to action. It whispers to us:
"Embrace change, welcome renewal, and adapt to the flow of time."

Just as we bid farewell to the old year and wholeheartedly welcome the new year,
We must also let go of outdated beliefs and habits,
Making space for growth, transformation, and betterment in our lives.

True transformation begins when we resolve to change not just externally,
But from within—rethinking, realigning, and evolving.

This process isn’t easy—it challenges us.
But isn’t this what a New Year’s Resolution is all about?
A deliberate, heartfelt promise to ourselves
To pursue what makes us stronger, wiser, and happier.

So, Let us resolve to:
- Reimagine our old habits and beliefs,
- Embrace new ideas,
- And mold ourselves to align with the rhythm of change.

Let the dawn of this new year inspire  and imbibe its spirit of transformation in us.

Wishing you all a joyous, meaningful, and fulfilling New Year 2026!
Here’s to new beginnings and lasting change!

- Dr. Neeta@JivanJagruti
(A journey to conscious living with self awakening)
Please like, share and comment.🙏
drneetathakkar.blogspot.com

#HappyNewYear2026
#NewBeginnings
#EmbraceChange
#PersonalGrowth
#JivanJagruti
#AwakeningtoLife
#lifelesson

https://www.facebook.com/profile.php?id=61556717276837&mibextid=ZbWKwL

Sunday, November 10, 2024

દિકરી આપણી પારકી થાપણ!!

દીકરી ની સગાઈ નક્કી થાય એટલે, ઘર માં બધાને ખુશી તો થાય જ પણ 
સાથે સાથે, એ જ ખુશી ક્યારે, 
હસતા, હસતા , આંખ ભીની કરી નાખે, 
એની કોઈ ને ખબર પણ ના પડે??😌

દીકરી હવે આપણાં ઘરે થોડા જ દિવસ છે, એ માત્ર ખયાલ થી જ માં બાપ ના આંખ માં થી આંસુ ના રોકાય!

પણ દીકરી તેમને રડતાં જોઈ ના જાયે એની ખાસ તકેદારી તો ફક્ત દીકરી ના પપ્પા જ રાખી શકે!!....

ક્યાંક મારી દીકરી મને રડતાં જોશે તો??....એ પણ બિચારી રડી પડશે, એ વિચારી ને પપ્પા, અહીં તહીં જોઈ લે પણ દીકરી ની સામે નજર ના મિલાવે !....

પોતાની વાહલી દીકરી ની નજર થી પપ્પા કાંઈ બચી શકે??

દીકરી પણ આંખ ના એક ખૂણે થી, તરત જ પપ્પા ના હાવ ભાવ સમજી જાયે, પણ એ પપ્પા ને બતાવે નહીં,..... અલક મલક ની વાતો હસતા હસતા કરવા લાગે,...." પપ્પા આજે તો મારા સાસરે આમ થયું, ને તેમ થયું....કરતી , કરતી, પપ્પા ની નજર ચૂકવી, પોતાના આંસુ ક્યારે લૂછી લે, એ પપ્પા ને પણ ખબર  ના પડે!!!......

દીકરી આપણી પારકી થાપણ છે, એ વાત બધા જ માં બાપ જાણતા હોય છે, પણ, જ્યારે ખરેખર એ સમય આવે, ત્યારે એ થાપણ ને વળગી રહેવાનું મન થાય......બે ઘડી તો એમ પણ લાગે, શું કામ આપણે આટલી જલ્દી કરી?...થોડા દિવસ રહી ને દીકરી ની સગાઈ કરી હોત તો...., હજી ક્યાં એટલી મોટી થયી ગયી હતી?? ......લગ્ન ની શું કામ આટલી ઉતાવળ કરી???.....આવા ઘણા સવાલો ના જવાબ આપતા, આપતા, મમ્મી ને પપ્પા એક બીજા ને સમજાવતા બેઠાં હોય...

બસ! આમ આમ કરતા, કરતા, દીકરી ના લગ્ન લેવાય ને લગ્ન ની તારીખ પાકકી થાય!!....ભાઈ ને આ વાત ની ખબર પડે એટલે પેહલા તો, એ ગુસ્સે થાય, શું કામ આટલી બધી ઉતાવળ કરો છો, તમે લોકો?.....

હજી બે મહિના પછી ની તારીખ નક્કી કરો ને....એમ કહેતા, કેહતા, બિચારો ભાઈ મન માં ઘણા બહાના ગોતવા લાગે,... કેમ કરી ને હું મારી બહેન ને રોકી લઉં!....

આજે એને કોણ સમજાવે??......કે દીકરી તો પારકી અમાનત, છે!....સમય આવે, એને વળાવવી જ પડે!!!....

અને પેલી નાની બહેનને તો, મોટી બહેનના  લગ્ન ની ખૂબ હોંશ!!, એને એમ થાય મારા કપડાં, બહેનના કપડાં થી ઉતરતા ના હોવા જોઈએ! વાત વાત માં જીદ કરે, મને પણ આવું જ લાવી આપો....હું તો જીજાજી ના બુટ ચોરીશ, આ ડાન્સ કરીશ, તે ડાન્સ કરીશ!!....

એની તો ખુશી ના સમાતી હોય!!.....સાચી ખબર તો તેને ત્યારે પડશે જ્યારે બહેન સાસરે જશે ને એને ઘર ખાલી ખાલી લાગશે,.... એની સાથે લડવા, ઝઘડવા વાળું કોઈ નહીં હોય.....ત્યારે એની આંખ ના આંસુ વહેતાં બંદ નહીં થાય!!

નાનપણથી ઘર ઘર રમતી, આપણી દીકરી, જ્યારે સાચે જ એના સપના ના રાજકુમાર સાથે ઘર સંસાર માંડવા જઇ રહી હોય ત્યારે, એની feelings તો કોઈ સમજી પણ ના શકે!......એક બાજુ ખુશી તો એકબાજુ પિયર ને છોડી ને જવવાનું દુઃખ!!!..….

કોઈ સાસરે જાતી દિકરી જ આ વાત સમજી શકે!
💕❤💞

માટે ચાલો આજે આપણે સાસરે જતી આપણી દિકરી ના આ સોનેરી સફર ને ખુશીઓ ને પ્રેમ થી ભરી ખૂબ યાદગાર  બનાવીએ!! ......
😍🥰🌹🌹🎊🎉


to be continued....
🙏🙏

( From the diary of *સાસરે જાતી દીકરી* - A beautiful  journey from an engagement to Marriage...."
(💕...💞...❤❤...💝....💖💖)

આભાર!!

-🙏નીતા!!

Sunday, August 18, 2024

સુરક્ષાબંધન - A safetyband!

રક્ષાબંધન!
વર્ષો થી ચાલ્યો આવતો ભાઈ બહેન ના પ્રેમ નો આ તહેવાર, હજી પણ પોતાની એટલી જ ગરિમા જાળવેલો છે!!

બીજા ઘણા બધા તહેવારો માં સમય જતાં changes આવતા ગયા, પણ આ તહેવાર માં, હજી સુધી,
નથી કોઈ ઝાંખપ આવી કે નથી કોઈ changes આવ્યા,
નથી કોઈ બદલાવ આવ્યો કે 
નથી કોઈ ને આ તહેવાર નો કંટાળો આવ્યો.....

હજી પણ આ તહેવાર ની એજ મીઠાશ જળવાઈ રહી છે.  

મહિના પહેલે થી જ આ તહેવાર ની ખબર પડી જાય ,જ્યારે બજાર માં રંગબેરંગી રાખડીઓ વેચાતી દેખાવા લાગે . ....
બહેનો પણ મન માં ને મન માં હરખાતી હોય ને નક્કી કરતી હોય કે રક્ષાબંધન ના હું શું પેહરીશ? કેવી તૈયાર થઈશ? શુ મીઠાઈ લયી જઈશ?...
ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે નાની ચાલી માં રહેતી બહેન ,
બધી બહેનો માટે આ તહેવાર ની મઝા એક સમાન છે.

ભાઈ માટે ફક્ત એક રાખડી લેવા, બહેન,
એક ફેરિયા થી બીજા ફેરિયા ....સુધી ફરી ફરી ને.... સૌથી સુંદર રાખડી પસંદ કરે....જેમ કે ભાઈ માટે કોઈ કિંમતી વસ્તુ ના લેતી હોય!!
અને અહીં ભાઈ પણ .....
કેટલો પણ modern  કેમ ના હોય,  
એની બહેને બાંધેલી રાખડી બીજા, ત્રીજા દિવસ સુધી તો ક્યારેક ભાઈ બીજ સુધી બાંધી  જરૂર રાખશે... 

એવી તે શી વાત છે, આ તહેવાર માં,
કે હજી એટલા જ હર્ષ ઉલ્લાસ ને પ્રેમ થી આજ સુધી  ઉજવાય છે??

તો ચાલો જાણીએ, એ વાત ને.....
અને ......એ વાત છે,.....

ભાઈ અને બહેન વચ્ચે ના નિર્મળ પ્રેમની!!💞
આમાં આપવા માં જેટલો આનંદ છે એટલો  લેવામાં આનંદ છે.

ભાઈ બહેન ને પ્રેમ થી ભેટ આપે ને....
બહેન પણ ભાઈ એ આપેલી ભેટ સોગાદ ને ખૂબ જ પ્રેમ થી સ્વીકારે ને ખુશ થાય છે!!

કોઈ ભાઈ ને તમે, આજે, એમ કહેતા નહીં સાંભળ્યો હોય કે "મને આજે ટાઈમ નથી, હું બહેન ના ઘરે નહીં જાઉં" 
 કે 
નથી કોઈ  બહેન જે એવું  બોલી હશે કે 
"મને રક્ષા બંધન ના ભાઈ ના ઘરે જવાનો કંટાળો આવે છે"....

ભાઈ - બહેન નો આ પ્રેમ ફક્ત રાખડી ના ધાગા થી નથી બંધાયેલો,

એ બંધાયેલો છે, 

એકબીજા પ્રત્યે ના આપસી પ્રેમ, વિશ્વાસ ને સમજ થી!🤝
બાળપણ માં વિતાવેલા યાદગાર દિવસો થી,💖
નાની મોટી, તું-તું, મેં- મેં અને મસ્તી થી,
ક્યારેક મોટા ભાઈ ની ટકોર થી, 
તો ક્યારેક નાના ભાઈ ની મસ્તી મજાક થી,
ક્યારેક મોટી બહેન ના માર થી, તો 
ક્યારેક નાની બહેન ના હેત થી!

આ સંબંધ માં કોઈ ફરિયાદ જ નથી,
ને જો હોય પણ..... તો એ......ફક્ત તાતપુરતી ને નકલી,
પણ ક્યારેય permanant મનદુઃખ નહીં હોય,
ક્યારેય ઈર્ષા, સ્વાર્થ કે અભિમાન ને સ્થાન નહીં હોય,
કારણ આ સંબંધ ફક્ત આપવા માટે જ બનેલો છે,

બહેન, ભાઈ ની સલામતી ની દુઆઓ આપે,
 ને ,
ભાઈ, બહેન ની રક્ષા નું promise આપે,

માટે,
ચાલો, આજે આપણે બધા, 
ભારત ની બધી બહેનો ને,
એમની, સુરક્ષા ની ખાતરી આપીએ, ને
રક્ષાબંધન ના આ તહેવાર ને સુરક્ષાબંધન તરીકે ઉજવીએ !

આથી વિશેષ ભેટ શું હોઇ શકે આપણી બહેનો માટે?💞🤝💖

Wishing a Happy Suraksha bandhan to all the lovely sisters and their brothers!!💞💖

Thank you.
- Dr. Neeta 🙏

#Happyrakshabandhan

#rakshabandhanspecial
#rakshabandhan2022
#રક્ષાબંધન #ભાઈબહેનપ્રેમ
#truelove  #brothersisterlove

#surakshabandhan

#સુરક્ષાબંધન #safetyband

# જીવનજાગૃતિ #jivanJAGRUTI

#JAGRUTI #જાગૃતિ


Saturday, January 13, 2024

Happy Makar Sankranti!

એક સંક્રાંતિ એવી, કે, 
કાપે ના કોઈ કોઈ ની પતંગ,

એક સંક્રાંતિ એવી, કે,
તિલ ગુળ ની મીઠાસ હોય, 
જીભ ના ટેરવે,

એક સંક્રાંતિ એવી, કે
સુખ, શાંતિ ને સમર્પણ, 
પહોંચે દ્વારે દ્વારે,

એક સંક્રાંતિ એવી, કે
દાન, પુણ્ય ની થાય ઘરઘર લ્હાણી!

એક સંક્રાંતિ એવી, કે
થાય, હર્ષ ઉલ્લાસ ની ફેરી!!

એક સંક્રાંતિ એવી,
સૌ કરે, ઉજવણી, ભેગા મળી!

Happy Makar sakranti!!❤️

 - Homeopath Dr. Neeta🙏8779506847

#jivanJAGRUTI
#happymakarsankranti
#kitefestival 





Sunday, December 31, 2023

Thank you Secret SANTA!

Before we start with a new year, let's thank our Secret SANTA, first!
માટે ચાલો આજે વાત કરીએ
Secret Santa ની!!
 જે
24th December - Christmas eve પછી રાત નાં તમારા ઘરે ચુપકે થી આવી ને તમારી મનપસંદ ચીજો christmas  ટ્રી ની બાજુ માં મૂકી જાય અને સવારે, ઘર નાં બાળકો ઉઠી ને જુએ તો સંતા એ મુકેલી surprise gifts જોઈ ને મન માં હરખાય, ખુશ થાય, કારણકે સંતા એમની ઈચ્છા પ્રમાણેની ઘણી બધી gifts મૂકી ગયા હોય!!

Santa વિશે ની આ રીત ની સ્ટોરી તમે બધાએ સાંભળી જ હશે.
પણ એવી જ રીત ની gifts મોટા થયા પછી પણ તમને secretly મળે તો??.......જો તમને કોઈ secret Santa થઇ ને ગિફ્ટ મોકલે તો?
એટલું જ નહીં, તમે secrete Santa થઇ ને કોઈ ને ગિફ્ટ મોકલો તો???.....

હા, સમજી ગયા તમે! Secret SANTA એ એક trend છે, જે આજ કાલ બહુ જોવા મળે છે......કોર્પોરેટ companies, social clubs,  gatherings માં christmas celebration નું એક part છે.- "Secret Santa"  ...

દર વર્ષે મારી daughter યાદ કરી ને, જ્યારે પણ એની ઓફિસ માં christmas celebration નું week આવે ત્યારે એ વિચારતી જ હોય કે હું શું ગિફ્ટ આપુ મારી colleague ને આજ ના દિવસે as a secret Santa ???
અને સાથે સાથે એને પણ suspense હોય કે મને શું ગિફ્ટ મળશે secrete Santa તરફ થી!!.....
ખૂબી ની વાત એ હોય કે તમને ખબર ન હોય કે તમને એ ગિફ્ટ કોણે મોકલશે??......

Christmas celebration નાં દિવસે ઓફિસ માં બધા ભેગા મળી ને enjoy કરે !
બધાની gifts christmas tree નાં decoration પાસે મુકેલી હોય, 
સૌ એ પોતાના નામ ના tag વાલી ગિફ્ટ લઈ લેવાની અને ખોલી ને જોવી....


આ રીતે  જ્યારે secret gift મળે ત્યારે સ્વાભાવિક છે, excitement તો બધા ને થવાની જ!!!!

Generally બધા લોકો ત્યારે જ પોત પોતાની gifts ખોલે અને જોઈ ને રાજી થાય, એકબીજા ને બતાવે, discuss કરે પણ કોઈ કોઈ ને કહે નહીં કે એ ગિફ્ટ મેં તમને આપી છે.....

મઝા ની વાત એ છે કે,
તમે જ્યારે દૂર થી જુઓ, તમે આપેલી ગિફ્ટ મેળવી ને સામેવાળો કેટલો ખુશ થયો છે, એની જે ખુશી તમને મળે છે, એનો આનંદ કાઇક અલગ જ હોય છે, 

કોઈ ને દિલ થી આપવું અને secretly આપવું અને ક્રેડિટ પણ નાં લેવી....આ એક અદ્ભુત અનુભવ હોય છે....તમે એ આનંદ નીચે આપેલા ફોટો માં જોઈ શકો છો.


મને તો આ રીત નું celebration ખૂબ ગમ્યું, જ્યારે મારી daughter એ મારી પાસે એનું વર્ણન કર્યું.

કેટલો નાનો પ્રસંગ છે પણ કેટલી મોટી વાત કહે છે!! 
મન માં થયું,
શું આપણે આપણી routine life માં એકબીજા નાં Secret Santa બનીએ છીએ??
કોઈ પણ જાત ની ક્રેડિટ, લીધા વગર નિસ્વાર્થ ભાવે કોઈ ને આપણે ગિફ્ટ કે ખુશી આપીએ છીએ??
એક વાર વિચાર જરૂર કરીશું!!....

ક્યારેક કોઈ ને ખબર ન પડે એ રીતે કોઈ નું ખુશી નું કારણ આપણે બનીએ, એ થી વધુ ખુશી શું હોઈ શકે? આ વાત Secret Santa એ મને આજે શીખવાડી!

મન માં થયું, 
આપણો Secret Santa તો 
1. આપણો ભગવાન છે,
જીવન માં આવતા દરેક સારા પ્રસંગ, સારી opportunities, ઈશ્વરે મોકલેલી secret gifts તો છે.

2. વડીલો, માતા પિતા નાં આશીર્વાદ પણ આપણી માટે Secret Santa નું તો કામ કરે છે!!

3. બચપણ થી લયી મોટા થયા ત્યાં સુધી, નાં જાણે કેટલીય વખત આપણા માતા પિતા એ આપણી માટે secret Santa નો રોલ ભજવ્યો છે.
(હવે આપણા વારો છે એમના Secrete Santa બનવાનો!!)

4. નામ ની આશા વગર ક્યારેક secretly કરેલું દાન પાન પણ Secret Santa નાં ખાતા માં જ જમા થાય છે.

રોંજીદા જીવન માં જોઈએ તો,

5. ક્યારેક કોઈ નું અટકેલું કામ કરી દેવું....
ક્યારેક કોઈ ને વિના માંગે મદદ કરી દેવી....
ક્યારેક કોઈ નાં ઘર નું ચૂપચાપ રાશન ભરી દેવું,
તો ક્યારેક કોઈ ની સ્કૂલ ની fees ચૂપચાપ ભરી દેવી..
તો ક્યારેક હોસ્પિટલ નાં બિલ માં રાહત અપાવી દેવી.....
ક્યારેક કોઈ ને ધંધો set કરવામાં મદદ કરવી, 
તો,
ક્યારેક કોઈક ને સાચી સલાહ આપી, advicer બની, કોઈ ને તમે ફાયદો પણ પહોંચાડી શકો છો....

આ રીતે.... ઘણા બધા પ્રસંગો એ આપણે કોઈ નાં secret Santa બની શકીએ છીએ, અને એ પણ...કોઈ બીજા ની નહીં આપણી પોતાની ખુશી માટે! 

આશા છે આવનારા વર્ષ માટે Secret Santa એ તમારા જીવન માં ખૂબ સારી ખુશીઓ મોકલી હશે અને આપ સૌ નું જીવન સુખમય અને આનંદમય રહે, એવી ઈશ્વર ને પ્રાર્થના!

Thank you,  
Goodbye 2023!!
Welcome 2024

- Dr. Neeta Thakkar,
@jivanJAGRUTI, Thankyou Secret Santa!

Thank you my Secret Santa for all the happiness you showered on me in my life!

જો તમને આ લેખ નો message ગમ્યો હોય તો, તમારી family, groups અને friend circle માં જરૂર share કરજો.
અને, હાં,
તમારા જીવન નાં secret Santa  ને Thank you, કેહવાનું ના ભૂલતા.


  Secret SANTA celebration in one of the corporate offices!
Let's cheer for them! 

#christmascelebration
#goodbye2025
#HappyNewyear2026
#welcome2026
#secretsanta
#happynewyear
#jivanJAGRUTI
#જીવનજાગૃતિ 


Hello friends,
સ્વજનો, મિત્રો, વડીલો!!
તમારા બધાનું હું Dr Neeta Thakkar   મારા બ્લોગ page  'જીવન જાગૃતિ' માં સ્વાગત કરું છું.

જીવન જાગૃતિ એ
મારી, તમારી, એક સામાન્ય વ્યકિત નાં
જીવન માં આવતી જાગૃતિ ની કહાની છે.

જીવન આપણને રોજ કંઈ ને કાઈ શીખવતું  હોય છે.
આપણે એ શીખ માંથી એક વ્યકિત તરીકે વિકસીએ છીએ, ને જાગૃત થઈએ છીએ.

'જીવન જાગૃતિ'- આ એક મારા જીવન માં આવેલા અનુભવો નો સંગ્રહ છે જે તમારી બધા ની સાથે share કરું છું.
આશા છે તમને પસંદ પડશે , અને એક નવો અનુભવ આપશે.

Thank you, all!
Please, like share and comment! (comment section given below)







Friday, November 17, 2023

ढुंढने पर तो भगवान भी मिल जाते है,"

"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
આ વાક્ય, આપણે જીવન માં કેટલી વાર સાંભાળ્યો હશે , પણ ક્યારેય અનુભવ કર્યો છે??

આજે એવા જ એક અનુભવ ની વાત કરું છું.

વાત છે દિવાળી નાં દિવસ ની!

Diwali નાં આગલા દિવસે,
હું અને મારા husband, Diwali કેવી રીતે celebrate કરીએ એનો પ્લાન બનાવતા હતા.
બન્ને એ નક્કી કરેલું કે આવતી કાલે દિવાળી એ આપણે, સવાર ના વેહલા ઉઠી, ત્યાર થઇ, મંદિરે દર્શન કરવા જશું.

પછી વિચાર્યું, કયાં મંદિરે જઈએ??....થાણા નાં શંકર નાં મંદિરે જઈએ....કે મુલુંડ નાં બાલરાજેશ્વર મંદિરે જઈએ, કે બીજા કોઈ પ્રસિદ્ધ મંદિરે જઈએ??

વિચારતા, વિચારતા, સૂઝી આવ્યું,
આપણે મુંબઈ, babulnaath મંદિરે જઈએ તો??
ઘણા વર્ષો થી આ મંદિરે નહોતા ગયા....એટલે થયું મઝા આવશે, દિવાળી નાં દિવસે ત્યાં જવવાની.

Diwali નાં દિવસે સવાર, સવાર માં વેહલા ઉઠી, મંદિર પર દર્શન કરવા જવાનો અનોખો જ આનંદ હોય છે.....બચપણ માં તો અમે દિવાળી નાં ચાર દિવસ, રોજ કલ્યાણ નાં વિષ્ણુ મંદિર માં જતાં, દર્શન કરવા. સવાર  ની મંગળા આરતી, અને શુભ દિવસ ની આભા જ કાઈ અલગ હોય છે ને???.......કદાચ આજ કાલ ના young generation ને એ નહીં સમજાય, પણ મારા તમારા જેવા ને આ અનુભવ ખૂબ આનંદદાયક અને પરમ શાંતિ અપાવનારો લાગે છે.

Husband એ પૂછ્યું, એના પછી શું પ્લાન છે?? Mein કીધું. ત્યાં મંદિર માં થોડો ટાઈમ પાસ કરી, બપોર ના ચોપાટી પર Thacker's ક્લબ માં ગુજરાતી થાળી, નું lunch કરીશું.....

Ok, પછી, શું કરીશું??

પછી આપણે, ભૂલેશ્વર જઈશું, ત્યાં આપણા ઘર ના મંદિર માટે ગણપતિ ની મૂર્તિ લયીશું.....ત્યાં ઘણી બધી દુકાનો છે, ગિફ્ટ shops છે, આપણને મનગમતી જેવી જોઈએ એવી મૂર્તિ મળી જશે.
આ વાત સાંભળી મારા husband એ તરત જ હા પાડી દીધી, એમને મુંબઈ થી ગણપતિ ની મૂર્તિ લેવાની વાત જચી ગઈ.....કારણકે કેટલા દિવસ થી વિચારતા હતા, અને જોતાં હતા, પણ અમને જોઈએ તેવી મૂર્તિ, અહી થાણા, મુલુંડ માં નહોતી મળતી.....

Husband એ કહ્યું, 
સારું, એ બહાને દિવાળી નાં દિવસે, લક્ષ્મી પૂજન માં આપણે મૂર્તિ નું સ્થાપન પણ કરી દેશું. 
એમને main ગણપતિ ની મનગમતી મૂર્તિ લેવા મળશે એ વાત માં વધુ interest હતો....કારણકે આજ નાં શુભ દિવસે ભગવાન ની સ્થાપના ઘર નાં મંદિર માં થાય, એનાથી વધુ શુભ કામ શું હોઈ શકે??

Diwali નો દિવસ આવ્યો. નક્કી કર્યા પ્રમાણે સવાર નાં વેહલું તો નહીં નીકળાયું પણ લગભગ  1.30 વાગ્યે અમે babulnaath મંદિરે પહોંચ્યા (કારણકે એ દિવસે Sunday હતો એટલે મેગા બ્લોક્સ ને કારણે trains બધી late હતી, ઘણી બધી cancel થઈ ગયેલી એટલે overcrowded હતી. એટલે એક બે ટ્રેન છોડવી પડી.)

દર્શન કર્યા, મંદિર માં થોડીવાર બેઠા, 3.00 વાગવા આવ્યા.  પછી ખ્યાલ આવ્યો, lunch માટે મોડા પહોંચશું તો ગુજરાતી થાળી 3.30 વાગે બંધ થઈ જશે, એટલે તુરંત જ lunch માટે નીકળ્યા.

સરસ મજા નું lunch લીધું, 4.00 વાગી ગયા. નક્કી કર્યા પ્રમાણે ભુલેશ્વર જવાનું હતું, મૂર્તિ લેવા માટે, એટલે google પર search કર્યું. ઘણી બધી shops હતી પણ closed દેખાડતી હતી.  હવે શું કરવું. એકાદ બે shops ખુલ્લી હતી પણ એ દિવાળી હતી એટલે half day પછી બંધ કરવાની હતી. .....એમને request કરી તો કહે જલ્દી આવો. અમે વાટ નહીં જોઈએ. 

જલ્દી જલ્દી taxi પકડી અમે ભૂલેશ્વર પહોંચ્યા....પણ દુકાન બંધ થઇ ગઈ હતી. આજુ બાજુ પૂછ્યું તો કહે, તમે લોહાર ચાલ જાઓ, ત્યાં મળશે. 
ભૂલેશ્વર ની ગલીઓ માં જલ્દી થી ટેક્સી નાં મળે.....એટલે ચાલી ચાલી ને લોહાર ચાલ ગયા. ત્યાં એક બે દુકાન હતી પણ બંધ હતી. 
આજુબાજુ પૂછ્યું, તો કહે સુથાર ચાલ જાઓ, ત્યાં મળશે....લોહાર ચાલ થી સુથાર ચાલ ગયા. રસ્તા માં ફૂટપાથ પર નાની નાની મૂર્તિ લયી ને બેઠા હતા, એમને પૂછ્યું તો કહે, અબ્દુલ rehmaan Street के उधर मिलेगा।  

ચાલતા ચાલતા 5.00 વાગી ગયા! મારા husband ને, ચા વગર નાં ચાલે એટલે એક નાનકડી હોટેલ દેખાઈ, ત્યાં ચા પીવા બેઠા. આમ કરતાં કરતાં 5.30 વાગી ગયા. ફરી ચાલી ને અબ્દુલ rehman સ્ટ્રીટ પાસે આવ્યા.....ત્યાં stationary દુકાનો વધુ પડતી હતી અને બધી બંધ હતી.

(Actually એ દિવસે દિવાળી હતી, એટલે સ્વાભાવિક છે, બધા કામગારો, દુકાનદારોએ બંધ રાખ્યું હતું..દિવાળી ની ઘરાકી માં કેટલા દિવસ થી છુટ્ટી નહોતી કરી તો, દિવાળી નાં દિવસે તો છુટ્ટી  જોઈએ ને !!

શું કરીએ હવે?? લાગતું નોહ્તું કે આજે ગણપતિ ની મૂર્તિ મળશે. 
અમે બંને ચાલી ચાલી ને થાક્યા હતા, હતાશ પણ થઇ ગયા હતા, આજે મૂર્તિ ની સ્થાપના નહીં કરી શકીએ. મોડું પણ થતું હતું. (છોકરા ઓ ને promise કરેલી કે અમે 6.00 વાગ્યા સુધી ઘરે આવી જશું, પછી સાંજ નાં બધા સાથે મળી દિવાળી celebration કરીશું.)

અબ્દુલ rehman strret થી અમે ક્યારે crafard માર્કેટ આવી ગયા ખબર ન પડી.
મન માં થયું બસ, હવે આ છેલ્લો રસ્તો છે. અહી થી mein road દેખાય છે. હજી એકાદ ગલ્લી માં ઘુસી જઈએ, નહિ મળે તો મેઈન રોડ થી CST station ની કેબ કરી, મુલુંડ ની ટ્રેન પકડી લેશું.  

ચાલતા ચાલતા એક અડધી ખુલ્લી શોપ દેખાણી , ત્યાં પૂછ્યું તો કહે અમે મૂર્તિ નથી રાખતા પણ પાછળ ની galli માં check કરો. ત્યાં ઘણી બધી shops છે પણ આજે કદાચ બધી બંધ હશે, દિવાળી નાં કારણે. જુઓ કદાચ કોઈ ખુલ્લી હોય તો મળી જશે....try કરો.

મેં મારા husband ની સામે જોયું. અમારા બંને માં તાકાત નહોતી, હિંમત પણ નહોતી ચાલતી, છતાં એકબીજા ને નારાજ નાં કરી શક્યા.....

ચાલો, એક last chance લયીએ. મન માં પ્રબળ ઇચ્છા હતી કે મૂર્તિ મળી જાય, પણ દિમાગ અને પગ સાથ નહોતા આપતા.
કહે છે ને, 
શ્રદ્ધા નો વિષય હોય ત્યારે તર્ક અને દિમાગ કામ નાં કરે એ જ સારું. 

બે ગલી વટાવી, એક ગલી ક્રોસ કરી ત્યારે છેવટે અમે સારંગ સ્ટ્રીટ પર પહોંચ્યા...વચ્ચે એક led lighting વાળો આવ્યો, એની પાસે થી મંદિર પર લગાવવા straight પટ્ટી વાળી lightings પણ લયી લીધી...
ત્યાં એક બૈરી વાત કરતી હતી, લક્ષ્મી પૂજન કે લિયે 6.30 to 8 કા સમય बहोत अच्छा है, मुहूर्त चूकना मत!

મેં ભગવાન ને પ્રાર્થના કરી, બસ, ફક્ત મૂર્તિ મળી જાય હવે! હે ભગવાન, કૃપા કરો......
(કહે છે ને મન થી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળી લે છે!!)

સારંગ સ્ટ્રીટ પર ઘણી બધી ગિફ્ટ આર્ટિકલ્સ અને novelty items ની લાઈનબંધ દુકાનો હતી..પણ પણ...બધી જ બંધ! આમ તેમ નજર ફેરવી તો ખૂણા માં એક દુકાન દેખાઈ જ્યાં બહાર થી જ showcase માં ગણપતિ ની મુર્તિ દેખાતી હતી.....એ જોઈ ને અમારી બંને ની આંખો માં ચમક આવી ગઈ, જેમ કે પ્યાસા ને કૂવો દેખાઈ ગયો હોય. 
(કહે છે ને,  प्यास लगी हो तो कुएं के पास जाना पड़ता है, कुआ आप के पास नहीं आता।)

 એક પણ મિનિટ નો સમય બગાડ્યા વગર, અમે જલ્દી થી, એ દુકાને પહોંચ્યા... દુકાન માલિક દુકાન બંધ કરવાની પેરવી માં જ હતો....એને કહ્યું   इधर नही है, मेरे पास! आप को जैसी चाहिए वैसी मूर्ति, मेरे गोडाउन पर है, लेकिन अभी वो बंद कर रहे है।  
અમે એને દિલ થી request કરી, ને convince કર્યું કે અમે ક્યાર થી રખડીએ છીએ, please અમને તારા ગોડાઉન નું એડ્રેસ આપ. 
એને અમારા પર દયા આવી, કહ્યું,  मेरा गोडाउन सामने क्रॉस कर के जाओ, ऊपर फर्स्ट फ्लोर पे है। जल्दी जाओ वरना वो बंद कर रहा है।  (સાંજ ના 6.00  તો અહીં જ વાગી ગયા હતા. મુહુર્ત નો ટાઇમ નિકળી નાં જાય એની ચિંતા થઇ રહી હતી.)

અમે જલ્દી જલ્દી લાકડા નાં દાદરાઓ ચઢી 1st floor પર ગયા. એક ખૂણા માં  દૂર થી દેખાય પણ નહિ, એવી એક દુકાન જોઈ, અંદર ગયા. અમે કીધું, તમારા ભાઈ એ અમને મોકલ્યા છે, એટલે દુકાનવાળો અમને સાંભળવા ઊભો રહ્યો....

અમે કીધું, ગણપતિ ની મુર્તિ જોઈએ છે. એને પૂછ્યું, કેટલી? મેં કીધું, એક! 
દુકાનદારે કીધું, sorry, madam, અમે wholesaler છીએ, ફક્ત એક મૂર્તિ વેચતા નથી. Minimum 10k નો માલ લો તો અમે બતાવીએ અને એ પણ પાંચ જ minitues મા પસંદ કરો, અમને બહુ late થઇ ગયું છે. લક્ષ્મી પૂજન માટે ઘરે જવું છે. મુહુર્ત નિકળી જશે.  
મેં એમને મારી પૂરી દાસ્તાન સંભળાવી એટલે નાં છૂટકે એ એક મૂર્તિ આપવા રાજી થયો અને અમને એની દુકાન માં જવવાની પરમિશન આપી. કહ્યું, પાંચ મિનિટ માં મૂર્તિ પસંદ કરી લો. 
(આમ જોઈએ તો એની દુકાન માં એટલું બધું collection હતું કે, બધી shelves પર નજર નાખીએ તો પણ પાંચ મિનિટ પતિ જાય. )

મેં જલ્દી થી મારી નજર ફરાવી, 
નીચે ની એક shelf માં અંદર ની સાઇડ પર એક મૂર્તિ દેખાતી હતી, એના પર મારી નજર ગઈ. મેં એને જલ્દી થી એ મૂર્તિ બહાર કાઢવા કહ્યું અને બીજે પણ નજર ફેરવી તો એકદમ ઉપર ની shelf પર એક મૂર્તિ અમારી પસંદ પ્રમાણે હતી. બંને મૂર્તિ કઢાવી, ટેબલ પર સાથે રાખવા કહ્યું....દુકાનવાળો ચિડાયો,  अब जल्दी करो, टाइम मत निकालो, हमें दुकान बंद करना है। મેં એને request કરી, ભાઈ સિર્ફ દો મિનિટ દો. 

અમને બંને ને નીચે વાળી shelf ni મૂર્તિ વધુ પસંદ પડી, સાઇઝ માં થોડી નાની હતી, પણ મેં મન માં કીધું, 
ભગવાન નો પાડ માનું કે આ દુકાનવાળા એ  હા  પાડી, નહીં તો આટલી સરસ મૂર્તિ, મને આજ ના દિવસે, મુહુર્ત નાં સમય માં મેળવવી, કેટલું મુશ્કિલ કામ હતું.....પણ ઈશ્વર દુકાનવાળા નાં મનમાં વસ્યા, ને અમને મૂર્તિ લેવાની પરમિશન આપી. 
હું ખરા દિલ થી એની આભારી હતી! 
પૂજા નું સાચું ફળ આજે એને જરૂર મળશે, એવું કહી મેં જલ્દી થી payment કરી મૂર્તિ લયી લીધી. 

6.30 pm થઇ ગયા હતા. 
મેં મારા husband ને કહ્યું ભગવાન, જાણે, આપણને સામે ચાલી ને આજે મળ્યા છે....ઈશ્વર ની ખરેખર આજે આપણા પર કૃપા થઇ છે..., ચાલો જલ્દી થી સ્ટેશન જઈએ, ફાસ્ટ ટ્રેન મળશે તો, 7.30 વાગ્યા સુધી મુલુંડ પહોંચી જયીશું અને ભગવાન ની ઈચ્છા હશે તો 8.00 વાગ્યા પેહલા ઘરે પહોંચી જશું તો, ઘરે પહોંચતા જ શુભ મૂહુર્ત માં મંદિર માં ભાગવાન ને સ્થાપિત કરી દઈશું.
(Next challenge હતી કે 8.00 વાગ્યા પેહલા, ઘરે પહોંચી, શુભ મૂહુર્ત માં Laxmi pujan નાં સમયે મંદિર માં શ્રી ગણેશ ની સ્થાપના કરવી.)

જ્યારે ઈશ્વર તમારી સાથે હોય ને તો કોઈ પણ મુશ્કિલ કામ , आसान થઇ જાય છે!
અમારી સાથે તો આજે સાચે જ ભગવાન હતા. અમને સમયસર ફાસ્ટ ટ્રેન મળી ગઈ. 7.45 નાં ઘરે પહોંચી ગયા. મારી દીકરી એ પેહલે થી જ પૂજા ની બધી ત્યારી કરી રાખેલી. 7.50 pm નાં (8.00 વાગ્યા ની પેહલા) અમે મંદિર માં ગણપતિજી ની મૂર્તિ સ્થાપિત કરી અને 8.00 વાગ્યા સુધી લક્ષ્મી પૂજન પણ કરી લીધું.

પછી,નિરાંતે બેસી મારા છોકરાઓ ને અમારી આજ ની ઉપર કહેલી સ્ટોરી કહી. ત્યારે મારા દીકરા ને યાદ આવ્યું,
મમ્મી, કહે છે ને, 

"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
 આજે આ સિધ્ધ થયું છે, આપણી સાથે!
 ત્યારે મેં એને સમજાવ્યું,

"ढुंढने पर तो भगवान भी मिल जाते है।" આ તો એક કહેવત છે, જે મેં ખરા અર્થ માં આજે અનુભવી, પણ કેહવાનું તાત્પર્ય એ છે કે,
જો તમે સાચા દિલ થી ચાહો તો કોઈ પણ મુશ્કિલ કામ સારી રીતે પૂરું થાય છે, ફક્ત કોશિશ કરતા રહો, મેહનત કરતા રહો, ધૈર્ય રાખો, આસ્થા રાખો, તમારું ધારેલું કામ, ધારેલી ઈચ્છા પરિપૂર્ણ થાય છે, ફક્ત કામ નેક હોવું જોઈએ ને ઈચ્છા પ્રબળ હોવી જોઈએ!
કહે છે ને,
"ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
सिर्फ  नियत और काम में सच्चाई हो और मंजिल पाने की प्रबल इच्छा हो।

धन्यवाद!
शुभ दीपावली!

Wish you all a very Happy Diwali!
and Happy Jalaram Jayanti, today!
Jay jalaram!

Thanks for reading,
Dr. Neeta @ jivanJAGRUTI
"ढुंढने पर तो भगवान भी मिल जाते है।"

  જૉ તમારો પણ કોઈ આવો experience રહ્યો હોય તો નીચે comment section માં જરૂર share કરજો!

अगर आप का भी कोई ऐसा experience रहा हो तो, नीचे दिए हुए comment सेक्शन में जरूर share कीजिए।

Please like, share and comment do share with your friends and relatives on occasion of Jalaram Jayanti, today!
Jay Jalaram!🙏





Babulnath mandir at Chowpaty, Mumbai!
हमारे घर के मंदिर में विराजमान श्री गणेशजी, नमन!

श्री जलाराम दर्शन! वीरपुर, गुजरात, के महान संत श्री जलाराम!
19th Nov, 2023, Jalaram Jayanti today

Rangoli at Babulnath temple!

At Babulnath temple!

Address and shop at Mumbai, from which we bought a beautiful Ganpati idol. Must visit it once, if you happen to visit Mumbai, near crafard market area.

#HappyDiwali
#jaybabulnath
#जयजलाराम
 #જયજલારમ
#જલામજયાંતિશુંભેછાઓ
#JalaramJayanti2023
#વિષ્ણુમંદિરKalyan 





















Tuesday, November 7, 2023

12th Fail - film review


12th Fail -


It is a story of RE-START!

It is a story of HONESTY!

It is a story of PERSEVERANCE!

It is a story of HARD WORK!

It is a story of FAILURES!

It is a story of "हारा वही, जो लड़ा नहीं!"

A આ ફિલ્મ ચંબલ નાં એક નાનકડા ગામમાં રહેતા ગરીબ કિશોર ની છે જેણે 12TH માં fail  થયા પછી પણ આઇપીએસ બનવા નું સપનું જોયું અને એ સપનાં ને કેવી રીતે પૂરું કર્યું અને એમાં શું શું બાધાઓ આવી અને એને કેવી રીતે  એણે પોતાની મેહનત અને લગન થી દરેક મુશ્કિલ નો સામનો કર્યો અને પોતાના લક્ષ ને પૂરું કર્યું.

તમને લાગતું હશે કેટલી સિમ્પલ સ્ટોરી છે. આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે અને સંભાળ્યા છે.

હા સાચી વાત છે, આ film એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આઇપીએસ ઓફિસર રજતકુમાર શર્મા અને એના સંઘર્ષ ની કહાની છે.

પણ દર્શકો, આવી સંઘર્ષ કથાઓ પર તો ઘણા પિક્ચર બન્યા છે.....તો એવું શું ખાસ છે, આ ફિલ્મ માં?? 

સ્વભાવિક છે, જ્યારે ફિલ્મ નાં director Vidhu Vinod Chopra હોય તો ફિલ્મ તો ખાસ બનવાની જ છે....પણ સાથે સાથે main role, Rajat Sharma નો  જેણે નિભાવ્યો છે - Actor Vikrant Massey..........એની એક્ટિંગ કાબિલે તારીફ છે.

આ ફિલ્મ ફક્ત એક્ટિંગ કે રિયલ સ્ટોરી છે, કે સારું direction છે એટલે જોવા નહીં જતાં.....પણ આ સ્ટોરી, ભારત ની upsc examination ની બ્લેક એન્ડ વ્હાઈટ reality બતાવે છે. ઇન્ડિયન સિવિલ services માટે શું કામ વિદ્યાર્થીઓ ને આટલો ક્રેઝ છે?.... કેટલા ઓછા વિદ્યર્થીઓ પોતાની મંઝીલને પામી શકે છે. છતાં પણ લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા માં દર વર્ષે બેસે છે, fail થાય છે ને વારવાર છેલી attempt સુધી કોશિશ કરતા રહે છે, થાકી જાય, હટી જાય, વિશ્વાસ ગુમાવી બેસે છે પણ હમેશા ફરી એક આશ સાથે RESTART કરે છે.

Re - start જેટલું કેહવુ સેહલું છે. એટલું કરવું સૌથી અઘરું છે... કડી મેહનત પછી પણ જ્યારે તમને સફળતા ના મળે અને ફરી થી restart કરવું પડે ત્યારે તમારા ધૈર્ય, ની ખંત ની અને હિંમત ની ખરી પરીક્ષા થાય છે. આ હિંમત, જજબા ને ટકાવો ખૂબ મુશ્કિલ હોય છે પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ  જ નથી રેહતો જ્યારે એના  પરિવાર ની આશ એના પર બંધાયેલી હોય છે. આ responsibility જ એમની તાકાત બની ને ફરી ફરી સંઘર્ષ ની આગ માં ઝોકે છે.

Upsc aspirants ને મોટીવેશન કોણ આપે છે?? એમના જ seniors, ex students જે આ પરિક્ષા પાર નથી કરી શક્યા, એવા students, જ્યારે deserving student માં પોતાની છબી જોy છે ત્યારે ફિલ્મ નાં હીરો ને હારવા નથી દેતા, એમની માટે એક નું પાસ થવું, એ લાખો students નાં સપનાં ને પૂરું થયા બરાબર હોય છે....("तेरे अकेले की लड़ाई  नहीं है, हम सब की लड़ाई है!" અહી આ dialogue મન ને સ્પર્શી જાય છે.) 
આ સમયે, એક past student કેવી રીતે પિક્ચર નાં હીરો ને support કરે છે અને એક સાચો દોસ્ત કેવી રીતે પોતાના દોસ્ત ને કડવા શબ્દો કહી ને motivate કરે છે, એ જોઈ ને વિશ્વાસ થાય છે કે દુનિયા માં સારા લોકો પણ વસે છે, સાચા દોસ્ત પણ હોય છે. આવા રિયલ supporting actors ને લીધે જ દુનિયા માં મ્હેનતી અને પ્રામાણિક લોકો ટકી રહ્યા છે, નહીં તો આજ ની આ દુનિયામાં સાચા માણસ ને ટકવું મુશ્કિલ છે.

આ ફિલ્મ એવા દરેક વ્યક્તિઓ એ જોવી જે જીવન માં ખુબ સંઘર્ષ કરી ને આગળ આવ્યા હોય, જેમને હાર શું હોય છે એની પીડા ખબર હોય, જેમણે life માં વારવાર નીચે પડ્યા પછી પણ re-start કર્યું હોય છે, એ જ લોકો આ ફિલ્મ નાં દર્દ ને, જાણી શકશે અને relate કરી શકશે.

બધા જ students માટે true inspirational story છે. 
Must watch by students and their parents to realize the amount of pressure their children (students) undergo when appearing for high profile competitive exams!

ફિલ્મ નો take away message film ના end માં છે, જ્યારે હીરો ને   interview માં એમ પૂછવા માં આવે છે કે જો તમે તમારી last attempt માં select નહીં થયા તો શું કરશો????......એનો જવાબ હીરો શું આપે છે, એ જોવા આ ફિલ્મ જોવા જજો.  

જો upsc exams કે એના જેવી સમાંતર comoetitive exams, 4 ke 5 attempts ની તક આપતું હોય તો યાદ રાખવું, જીવન આપણને unlimited attempts ની તક આપે છે. Restart  કરવા નો જાજબો જો આપણે ટકાવી રાખીએ તો, the sky is your limit! No one can stop you from reaching your goals!
हारा वही है जो लड़ा नही!
Thanks!

Dr. Neeta Thakkar
@jivanJAGRUTI film review of
12th fail -an inspirational story!

Students, Please note : Please don't, get frustrated ever, if you fail to reach your desired goal. Accept  the plan B, the destiny has decided for you to work upon. Just give your best, in whatever you do. Result will follow automatically.👍👍👏👏

#jivanJAGRUTI
#जीवनजागृती
#12thfailfilmreview
#12thfail
#vidhuvinodchopra
#IPSofficerरजतकुमारशर्मा
#UPSC
#actorvikrantmassey

Above Book available on Amazon in English/Hindi.


 '12th Fail' directed by Vidhu Vinod Chopra, is based on the journey of IPS officer Manoj Kumar Sharma and IRS officer Shraddha Joshi. It has been smooth sailing for the Vikrant Massey starrer '12th Fail' at the box office.


https://images.app.goo.gl/EFsqzNqzMeXcYybD6

Friday, September 22, 2023

Happy Daughters'day!❤️💞

દિકરી તું મોટી નાં થતી!! 
મોટી થઈશ તો સમજદાર થઇ જઈશ!

આજે એક માં નાં હૃદય થી લખવા બેઠી છું.

આમ જોઈએ તો દીકરી ને સમજદાર બનાવવા, સંસ્કારી બનાવવા માટે  પિતા કરતા માં નો ફાળો મોટો હોય છે!!
પણ આજે એજ માં કહે છે, કે દીકરી તું મોટી નાં થા.....મોટી થઈશ તો સમજદાર થઇ જઇશ.
કેટલી આશ્ચર્ય ની વાત છે ને???....
કદાચ આજે મારી સાથે જગત ની બધી જ માં ઓ,
આ બાબત પર કબૂલ થશે....
એ સમજી શકશે કે હું શું કહેવા માંગુ છું?

દીકરી હંમેશા પપ્પા ની લાડકી હોય છે. ..પપ્પા એને લાડ કરે, બધી demands પૂરી કરે પણ...ક્યાંય સભળ્યું છે, કે માં એ દીકરી ને પપ્પા રાખે એવી લાડકી રાખી હોય??

માં ધારે તો પણ દીકરી ને એવો લાડ નાં બતાડી શકે.
ક્યાંક ને ક્યાંક એ ટોકી દે, કે સલાહ, શિખામણ આપી દે.. ક્યારેક આદતો નાં નામે તો ક્યારેક જવાબદારી નાં નામે,
ક્યારેક સંસ્કારો નાં નામે!!
બે શબ્દ વઢી લે પણ ખોટા લાડ પ્રેમ ના સૂઝે!!

કેમ એમ??

શું માં ને એની દીકરી માટે પપ્પા જેટલો પ્રેમ નથી હોતો??
શું માં ને  દીકરી વહાલી નથી હોતી??

વહાલી એટલી જ હોય છે, પણ એને ખબર છે, દીકરી મોટી થશે, તો સાસરે જશે,....ત્યાં એની મન મરજી નહીં ચાલે....એટલે નાનપણ થી જ, માં, સમજદારી નાં થોડા થોડા પાઠ ભણાવતી થઇ જાય છે....ને એક સમય આવે કે.....દીકરી ને કાઇ સમજાવું નથી પડતું, એ કીધા પેહલા જ સમજી જાય છે.....કયાં શું બોલવું, નહીં બોલવું, કેવી રીતે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, કેહવુ, સમજવું...વિગેરે વિગેરે....

ક્યારેક તો દિકરી 'માં' ને પણ  શીખવાડવા લાગે છે......માં ની પણ ભૂલ બતાવવા લાગે છે.....ત્યારે સમજી જવું કે દીકરી હવે પૂર્ણ પણે ત્યાર થઈ ગઈ, સાસરે જવા માટે!!!

આ વાત જ્યારે માં ને સમજાય ત્યારે મન માં હર્ષ થાય કે આપણી દીકરી આપણું નામ રોશન કરશે, પણ બીજી બાજુ દુઃખ થાય કે હવે તો એ સાસરે જશે.......
આપણી પાસે હવે કેટલા વર્ષ રેહશે???....
એ તો ઉડી જશે એના ઘરે, ....
ત્યારે એક ખટકો ઉદભવે છે, ક્યાંક કાઈ છુંટી તો નથી ગયું ને??....એક અફસોસ... માં ને મન માં ને મન માં થાય છે,
કે દીકરી ને સમજદાર બનાવવા નાં ચક્કર માં ક્યાંક
મેં દિકરી નાં ઉછેર માં ભૂલ તો નથી કરી ને??
ક્યાંક એની ઈચ્છાઓને તો એને મારવી  નથી પડી ને??
એની demands પૂરી નાં કરી ને ક્યાંક એને અન્યાય તો નથી કર્યો ને??
એણે જોયેલા સપનાઓ ને આપણે નજરઅંદાજ નથી કર્યા ને? 

દીકરી માટે કેટલા restrictions હોવા જોઈએ??...
ને કેટલા માપદંડ હોવા જોઈએ??

ક્યાંક આપણે આપણી દીકરી નાં સપનાઓની, ઈચ્છાઓની, વિચારોની, બાળપણ ની નાસમજ જીદ્દ ની,
કુરબાની તો નથી આપતા ને,
- ઘરકામ નાં નામે,
- સાસરે જવા નાં નાંમે,
- પારકા ઘરે adjust થવા નાં નામે,
- બધા ને ખુશ રાખવા નાં નામે,
- આજ્ઞાકિત બનવા નાં નામે.....
- સમજદારી નાં નામે.
- સ્ત્રીસહજ જવાબદારીઓ નિભાવવા નાં નામે...and so on.....
શું દીકરી એ જ હંમેશા આપણે દોરેલા રસ્તા પર ચાલવું પડશે?? દીકરા માટે પણ એવું કોઈ માપદંડ આપણે વિચાર્યું છે? 
એક દીકરીની માં આજે પૂછે છે પોતાની જાત ને!!

Please like, share and comment to express your love for your daughters!!🙏

Thank you!

Please note:
મારા પ્રિય વાચક મિત્રો, 
After getting feedback from someone, 
આ લેખ વિશે એક સ્પષ્ટતા હું કરવા માંગુ છે કે,
આ લેખ દિકરી ને છૂટ આપવી કે નાં આપવી એ બાબત પર નથી...આ લેખ એક એવી માં નું વર્ણન કરે છે, જે દિકરી ને સંસ્કારો આપવા માટે  પોતાની મમતા અને લાડ પ્રેમ ને આડે આવવા નથી દેતી. આપણે એવી દરેક માતાઓ નાં ઋણી છીએ જેમણે પોતાની દીકરીઓ ને સંસ્કારી બનાવવા માટે દુર્લભ ફાળો આપ્યો છે. એમની સંસ્કારી દીકરીઓ જ આગળ જતાં બંને કુળ ને તારે છે. 
આ લેખ માં એવી દરેક સંસ્કારી દિકરી ની માં નાં, કોમળ હૃદય ની વ્યથા ને વ્યક્ત કરી છે. એમની માં નાં દિલ ની કશ્મકશ ને સમજવા ની આપણે કોશિશ કરી છે, જે પોતાની દીકરી કે દીકરા માટે same ધબકે છે પણ દિકરી માટે એ વધુ વ્યક્ત નથી કરતી, જેથી દિકરી માં સારા સંસ્કારો નું સિંચન થાય અને પોતાની ગૃહસ્થી ને સારી રીતે ચલાવી શકે.

આ લેખ દ્વારા એવી બધી સંસ્કારી માં ઓ અને દિકરી ઓ ની કદર કરવા ની આજે આપણે કોશિશ કરી છે. જો તમને ગમે તો આ લેખ ને વધુ માં વધુ લોકો સાથે share કરી આ કોશિશ માં યોગદાન આપજો.

આ ઉપરાંત,
એક સવાલ દિકરી ની માં ને એમ પણ થાય છે, કે જેટલા restrictions અને માપદંડ આપણે દિકરી માટે અપનાવીએ છીએ, એવી જ રીત નાં માપદંડ, આપણે દીકરા માટે પણ ઠરાવ્યા છે કે નહિ?....જેથી એનો ઘર સંસાર પણ સારી રીતે ચાલી શકે.

આશા છે તમને મારા લેખ નો આશય સ્પષ્ટ થયો હશે.
Thank you. 
 Dr. Neeta Thakkar
@Jivan JAGRUTI from the diary of 'સાસરે જતી દીકરી '-part 5....

Please do Read the other two articles from the same series.
Link given below.

"Happy Daughter's Day to all the wonderful and well-behaved daughters! You deserve to have your own space and time to soar and spread your wings. Best of luck!"




લગ્ન ની ત્યારીઓ!!
http://drneetathakkar.blogspot.com/2022/10/blog-post.html

લગ્નોત્સવ
http://drneetathakkar.blogspot.com/2023/02/indian-weddings.html

દિકરી ની વિદાય!







Wednesday, April 5, 2023

સફળતા નું માપદંડ


સફળતા નું માપદંડ
******************
સફળતા એટલે શું?
સફળતા એટલે પૈસો?
સફળતા એટલે - નામના?
સફળતા એટલે - પદવી?સત્તા?
સફળતા એટલે બંગલા ગાડી....એશ આરામ?
સફળતા એટલે શું???
સફળતા નું માપદંડ  શું?

શું કરીએ તો આપણે સફળ છીએ એમ કહેવાય??

વિચારવા જેવી વાત છે....👍👍

ચારે બાજુ નજર નાખીએ તો, આજુબાજુ કેટલા લોકો સફળતા પામવા ની હરીફાઈ માં ઉભા છે....

સફળતા પામવા માટે શું નથી કરતા?... ક્યારેક તો સફળતા માટે જે નથી કરવાનું એ પણ કરે છે...દુઃખદ વાત છે, પણ સાચી છે...😊

ક્યારેક તો આપણી સફળતા ની પતંગ ને ઊંચે ચઢાવવા બીજા ની પતંગ ને કાપતા પણ આપણે અચકાતા નથી.😔

સફળતા ની ઘેલછા પાછળ શું આપણે વિચારીએ છીએ કે,

સફળતા પામી ક્યારે કહેવાય?

સફળતા નું માપદંડ, નક્કી કેવી રીતે કરાય?... 

ચાલો ત્યારે,
વાત કરીએ સફળતા ના માપદંડની!

સફળતા એટલે 'પૈસો'....જે આપણે પોતાના કરતા, બીજા માટે કેટલો વાપરીએ છીએ?....એ છે.🙏

સફળતા એટલે - 'નામના'.... જે આપણે કેટલી પચાવી શકીએ છીએ?...એ છે....🙏

સફળતા એટલે - 'પદવી/ સત્તા'.....નો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ?...એ છે....

સફળતા એટલે 'બંગલા ગાડી....એશ આરામ....ને આપણે કેટલું પ્રાધાન્ય આપીએ છીએ...એ છે....

સફળતા એટલે આપણે આસમાન પર ચાલીએ છીએ કે જમીન પર...એ છે...

સફળતા એટલે આપણે નાના માણસ ને કઇ રીતે treat કરીએ છીએ એ છે. બીજાને તુચ્છ ગણીએ છીએ કે equal?.....એ છે....

સફળતા એટલે તમે કેવી ભાષા બોલો છો...મૃદુ કે કઠોર?....એ છે..  

સફળતા એટલે આપણે સફળતા નાં માર્ગ પર  કેટલા ને ટેકો આપી ઉપર ચડવા માં મદદ કરીએ છીએ એ છે..

In short,

સફળતા એટલે 'સંસ્કારો' ના કેટલા પગથિયાં આપણે ઉપર ચઢિયા?..એ છે.

સંસ્કાર વગર ની સફળતા, તો ઘણી બાજુ દેખાય છે.....પણ સંસ્કાર માં રહી ને સફળતા પામતા લોકો કેટલા?

સફળતા ના આ માપદંડ પર ખરા ઉતરનારા કેટલા?... 

જો એવા લોકો મળી જાય તો એમની નોંધ જરૂર લેજો!....

Few examples: 
જેમણે સફળતા ના માપદંડ બતાવ્યા છે.....એ લોકો છે....
Mahtama Gandhi, Shree Ratan Tata, Shreemati Sudha Murthy....... 
...and many more....
( Add such more names to your list to follow....)
Thanks.
- Dr. Neeta 🙏
(Please like and share, if you believe so.🙏)
 #JAGRUTI
#સુવિચાર # પ્રેરણાત્મકવિચાર
#સફળતા #sucess #truesucess
#સફળતાનુંમાપદંડ
#thinktwicethinkwise
#motivational
#motivationalthoughts

આવા જ બીજા articles વાંચવા, નીચે આપેલી લિંક ને ક્લિક કરો.
https://drneetathakkar.blogspot.com/


Sunday, March 5, 2023

'Happy હોળી'




ચાલો આજે એક નવી પહેલ  કરીએ!
હોળી - ધુળેટી ની  શુભકામનાઓની સાથે, સાથે, લોકો એક બીજા ના રંગે પણ રંગાઈ જાય તો?

"અમે" ને "તમે" વચ્ચે નો gap ને ઘર્ષણ ઓછો કરીએ,
ને,
"અમારા" અને "તમારા" વચ્ચે 
પ્રેમ-આત્મિયતા ની પિચકારી વર્ષભર છોડીતા રહીએ,

પછી ક્યાં રેહશે ક્રોધ, નફરત, ઈર્ષા કે દ્વેષ?

એ બધા તો "પ્રેમ" રૂપી હોલિકા માં દહન થયી જ જશે,

બચશે તો ફક્ત ને ફક્ત,
પ્રહલાદ રૂપી નિર્મળ, નિર્દોષ,
આસ્થા, પ્રેમ અને વિશ્વાસ!

શું આવી હોળી, રંગ-પંચમી રમવા આપણે તૈયાર છીએ?

પાક્કો રંગ પ્રેમ નો,
       કાચો રંગ દંભ નો,

આપણે કયો રંગ choose કરીએ છીએ, એ આપણી choice છે,

ચાલો ત્યારે, કરીએ, નવી શુરૂઆત
હોળી ની સંગ, 
રંગીએ પ્રેમ-આત્મિયતા ના રંગ!❤️❤️

"Wish you all a very 
Happy Holi!"🔥🌈🙏

-Dr. Neeta @JivanJagruti
Happy Holi
Please share and comment.
#jivanjagruti
#હોળીજાગૃતી
# રંગપંચમી #happyહોળી 
#happyHoli

મામેરું

મામેરું! જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે. I hope,  તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ ...